હવે ઝાફરની ચા અયોધ્યા ચોકમાં પણ મળશે
ઝાફર’સ ટીના શુભારંભ પ્રસંગે ભાજપ અગ્રણી રમેશભાઈ રૂપાપરા, કશ્યપભાઈ શુકલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર ખાસ-ખબર એમ.ડી. પરેશભાઈ ડોડિયા, ડિરેક્ટર અમિતભાઈ માખેચા, એડિટર કિન્નરભાઈ આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ચા પ્રેમી જનતા માટે આર.એચ. એન્ટરપ્રાઈઝ, વન વર્લ્ડ-બી, દુકાન નં. 6, અયોધ્યા ચોક, 150 ફુટ રિંગરોડ ખાતે ઝાફર’સ ટી નામથી નવલું નજરાણું શરૂ થઈ ચૂક્યું છે. શહેરના ડી એચ કોલેજ પાસે મળતી ઝાફર ચા એટલે કે ઝાફર ચાવાળાના આરાધના ગ્રુપના ઝાફર’સ ટીના શુભારંભ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.
ઝાફર’સ ટીનું ઉદ્દઘાટન મેફૂઝાબેન દિલાવરભાઈ પાણખાણીયાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે આરાધના ગ્રુપના દિલાવરભાઈ પાણખાણીયા, મકસૂદભાઈ પાણખાણીયા, જાફરભાઈ અલાણ, અકિલભાઈ પાણખાણીયા વગેરે હાજર રહ્યા હતા.
આરાધના ગ્રુપના નવા સાહસ ઝાફર’સ ટીના ઉદ્દઘાટન પ્રસંગમાં ભાજપ અગ્રણી રમેશભાઈ રૂપાપરા, કશ્યપભાઈ શુકલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર ખાસ-ખબર એમ.ડી. પરેશભાઈ ડોડિયા, ડિરેક્ટર અમિતભાઈ માખેચા, એડિટર કિન્નરભાઈ આચાર્ય સહિતના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં ચા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.