પઠાણ ફિલ્મની વિવાદમાં ઉતર્યા ગુજરાતી કલાકારો
ગાયક રાજભા ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો વિડીયો: ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન થવા દેવી જોઇએ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. પરંતુ આ પહેલા તે વિવાદોમાં આવી ચુકી છે. તેનું કારણ છે ફિલ્મના એક ગીતમાં દીપિકાનો ડ્રેસ. વાસ્તવમાં, દીપિકાએ પઠાણના બેશરમ રંગ ગીતના એક સીનમાં કેસરી રંગની બિકીની પહેરી હતી. હિન્દુ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં પઠાણ ફિલ્મની વિવાદમાં ગુજરાતી કલાકારો ઉતર્યા છે. સાહિત્યકાર રાજભા ગઢવીએ પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. જેમાં રાજભા ગઢવીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે. અને જણાવ્યું છે કે ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરાયું છે. બોલીવૂડ હંમેશા સનાતન ધર્મ વિરોધી રહ્યું છે. ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન થવા દેવી જોઇએ. તમામ સંગઠનો એક થઇ ફિલ્મનો વિરોધ કરવો જોઇએ. આ પ્રકારની પ્રવૃતિઓ ક્યારેય નહી ચલાવી લઇએ. બોલીવૂડ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું
અયોધ્યાના મહંત રાજુ દાસે શાહરૂખ ખાનની ફિલ્મ ’પઠાણ’નો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આટલું જ નહીં, તેમણે કહ્યું કે હું દર્શકોને અપીલ કરું છું કે તે થિયેટરોને બાળી નાખો જેમાં પઠાણ ફિલ્મ બતાવવામાં આવી છે. રાજુ દાસે બોલિવૂડ અને શાહરૂખ ખાન પર સનાતન ધર્મની સતત મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે. અયોધ્યાના મહંત રાજુ દાસે કહ્યું કે બોલીવુડ અને હોલીવુડ સતત સનાતન ધર્મની મજાક ઉડાવવા, હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું તેવા પ્રયાસમાં જ રહે છે. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી સંતો અને દેશના રંગને ઠેસ પહોંચાડી છે.
‘જેવા સાથે તેવા’ વ્યવહાર કરવો જોઈએ
રાજુ દાસે કહ્યું કે શાહરૂખ ખાન સતત સનાતન ધર્મની મજાક ઉડાવતો રહે છે. તેમણે પૂછ્યું કે શું ફિલ્મમાં બિકીની ભગવા રંગની રાખવાની અને ન્યૂડ પરફોર્મ કરવાની જરૂર હતી. તેમણે કહ્યું કે આ કામ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે. રાજુ દાસે કહ્યું કે આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું, હું દર્શકોને અપીલ કરું છું કે તે ફિલ્મનો બહિષ્કાર કરે અને જ્યાં પણ ફિલ્મ દર્શાવવામાં આવે તે થિયેટર સળગાવી દેવા.
- Advertisement -
તેમણે કહ્યું કે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવો જોઈએ.