આત્મવિશ્વાસથી ભરપૂર ટીમ ઈન્ડિયા આજે ક્રિકેટના મક્કા ગણાતાં લોર્ડસમાં બીજી વન-ડે મેચ જીતી શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે ઉતરશે. એકમાત્ર ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસ પર ટી-20 શ્રેણીને જીતી અને હવે વન-ડેમાં પણ મહેમાનને પછાડીને ટેસ્ટમાં મળેલી હારની તકલીફ ઓછી કરવા માંગશે. આ મુકાબલાનો પ્રારંભ સાંજે 5:30 વાગ્યાથી જશે.
રોહિત શર્માને આશા રહેશે કે તેના બોલરો લોર્ડસની પીચ ઉપર પણ ઓવલ જેવું જ પ્રદર્શન કરે. ખરાબ ફોર્મના કારણે ટીકાકારોના નિશાને રહેલો કોહલી આજની મેચમાં પણ રમે તેવી શક્યતા ઓછી છે. ટીમ મેનેજમેન્ટે હજુ સુધી સ્થિતિ ક્લિયર કરી નથી કે કોહલી ફિટ છે કે નહીં. કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં શ્રેયસ અય્યર ઉપર વધુ ધ્યાન આપશે જેની શોર્ટ બોલ વિરુદ્ધ સમસ્યા વધતી જઈ રહી છે.
- Advertisement -
જો તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળે છો તો તે મોટી વાત ગણાશે. દીપક હુડા જેવી ક્ષમતાવાળો ખેલાડી ટીમમાં જગ્યા મેળવવાની રાહ જોઈ રહ્યો છે અને આવામાં અય્યર પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. બીજી બાજુ જોશ બટલર, જો રુટ, બેન સ્ટોક્સ, જોની બેરિસ્ટો, જેસન રોય અને લિયમ લિવિંગસ્ટોન સહિતના બેટધારો ઓવલમાં નિષ્ફળ રહ્યા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન બટલરે પહેલી મેચ બાદ કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી. બટલરે કહ્યું કે ટીમમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી છે અને બેટિંગ જ અમારી મોટી તાકાત છે.