ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં આનંદનગર કવાર્ટર શ્રીકૃષ્ણ નીતિ મહોત્સવમાં કૃષ્ણમય બન્યું છે ત્યારે તારીખ 23-8 આજે કલાકારો લોકસાહિત્ય કલાકાર મેરામણભાઇ ગઢવી, બળવંતભાઈ જાની પુર્વ કુલપતિ પાટણ યુનિવર્સિટી, ઈશુદાનભાઈ ગઢવી આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ, તુષારભાઈ બસિયા ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આહિર સમાજ, કાઠી સમાજ, રાવળ સમાજ, લોહાણા સમાજ, પ્રજાપતિ સમાજ, ગુર્જર રાજપુત સમાજના અગ્રણી તથા હોદ્દેદારોના પરિવાર દ્વારા મહાઆરતી સાંજે 7 વાગે કરવામાં આવશે. દરરોજ સાંજે 7-00 વાગ્યાથી 11-00 વાગ્યા સુધી કૃષ્ણ મહોત્સવના કાર્યક્રમો આનંદનગર કોલોની 144, ગાયત્રી મંદિરવાળો બગીચો, ‘રંમ્તભ’ ખાતે થશે. આ કાર્યક્રમ સફળ બનાવવા આનંદનગર 144 ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અશોકભાઇ ગઢવી તથા હોદ્દેદારો જહેમત ઉઠાવી
રહ્યા છે.