ડ્રાઈવર સહિત મુસાફરોને ઈજા, ટ્રકચાલક સામે ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા તાલુકાના હરીપર ગામના પાટિયા નજીક બંધ ટ્રક પડી હોવાથી તેની સાથે એસટી બસ અથડાઈ હતી જે અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને ઈજા પહોંચી હતી તેમજ એસટી બસને નુકશાન થતાં સમગ્ર બનાવ મામલે ટ્રકચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
- Advertisement -
અકસ્માતના બનાવ મામલે ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી સચીનભાઈ પ્રવીણભાઈ ટીલાવતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હરીપર ગામના પાટિયા પાસે રોડ પર ટ્રક જીજે 12 બીએક્સ 8550 ના ચાલકે કોઈ જાતની આડશ રાખ્યા વિના કે સાઈડ સિગ્નલ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના ટ્રક અડચણરૂપ રાખી માનવ જિંદગી જોખમાય તે રીતે રાખ્યો હતો ત્યારે એસટી બસ જીજે 18 ઝેડ 7730 બંધ ટ્રકની ખાલી સાઈડ અથડાઈ હતી જે અકસ્માતમાં બસમાં સવાર ફરિયાદી સચીનભાઈ અને અન્ય મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી અને એસટી બસમાં નુકશાન થયું હતું.
જેથી ટંકારા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.