ઓપન જીમમાં ગ્રામજનો,યુવાનો વ્યાયામ,કસરત કરી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
આદાઝી કા અમૃત મહોત્સવ અંતર્ગત માંગરોળનાં મક્તુપુર ગામમાં ઓપન જીમ બનાવવામાં આવ્યું છે. અહીં ગ્રામજનો,યુવાનો વ્યાયમ,કસરત વગેરે કરી શકશે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખનાં માર્ગદર્શનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે માંગરોળ તાલુકાનાં મક્તુપુર અને માળિયા હાટીનાનાં શાંતિપરામાં ઓપન જીમ બનાવવામાં આવ્યાં છે. મનરેગા અંતર્ગત આ જીમ બનાવવામાં આવ્યાં છે. આ ઓપન જીમમાં ગ્રામજનો,બાળકો, યુવાનો વ્યાયમ,કસરત કરી શકશે. બન્ને ગામમાં ઓપન જીમ બનાવવામાં આવતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો,બાળકો કસરત કરી રહ્યાં છે.