જૂનાગઢ મતદાન જાગૃતિ અભિયાન તેજ બન્યું છે ત્યારે લોકશાહીના પર્વમાં દેશના નાગરિકો વધારેમાં વધારે જોડાય અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મતદાન મહાદાન, આ વખતે તો મારે મત આપવાનો જ છે, જેવા સ્લોગનોનું અનુકારણ કરી મેંદરડા તાલુકાના સ્થાનિકોએ રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મેંદરડા શહેરના પ્રજાપતિ નગર અને આલીધ્રા ગામ ખાતે લોકો શેરી નાટક દ્વારા મતદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકશાહીના પર્વમાં અચૂકપણે મતદાન કરી પોતાની ફરજ અદા કરે તેવી અપીલ કરી હતી.
મેંદરડામાં શેરી નાટક દ્વારા લોકોને મતદાન કરી પોતાની ફરજ બજાવવાની અપીલ

You Might Also Like
Follow US
Find US on Social Medias