45 ભારતીયોના નશ્વર અવશેષોને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કોચી પહોંચ્યું, 23 મૃતદેહો કેરળના, 7 તમિલનાડુ અને 1 કર્ણાટકના
ભારતીય દૂતાવાસે આપી માહિતી
અગાઉ કુવૈતથી વિમાનના પ્રસ્થાન પહેલા કુવૈતમાં ભારતીય દૂતાવાસે X પર ભારતીય વાયુસેનાના આ વિશેષ વિમાનના પ્રસ્થાન સાથે સંબંધિત સમાચાર પોસ્ટ કર્યા હતા. ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યું, ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં પીડિત 45 ભારતીયોના નશ્વર અવશેષો લઈને કોચી માટે રવાના થયું છે. રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ આ વિમાનમાં સવાર છે.
- Advertisement -
બિલ્ડિંગમાં આગને કારણે થયા હતા 49 કામદારોના મોત
નોંધનિય છે કે, બુધવારે (13 જૂન 2024) દક્ષિણી કુવૈતના મંગાફ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 49 વિદેશી મજૂરો માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી અનુસાર કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે કહ્યું હતું કે, અધિકારીઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે, જેમાંથી 45 ભારતીય અને ત્રણ ફિલિપિનો છે. તેમણે કહ્યું કે, બાકીના એક મૃતદેહને ઓળખવાના પ્રયાસો હજુ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટાભાગના ભારતીય પીડિતો કેરળના છે. આ અકસ્માતમાં કેરળના 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
કેરળ સરકારે દરેકને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી
- Advertisement -
ગુરુવારે (13 જૂન 2024) કેરળ સરકારે કુવૈત આગમાં મૃત્યુ પામેલા 19 કેરળવાસીઓના પરિવારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આજે સવારે કેબિનેટની ઈમરજન્સી બેઠકમાં આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયે તેના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે અને મૃતકોના મૃતદેહોને ભારત પરત લાવવાના પ્રયાસોનું સંકલન કરવા કુવૈત મોકલવામાં આવ્યા હતા.