ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
રાજુલા પોલીસ સ્ટેશન સ્ટેશનના હત્યાના ગુન્હામાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો હતો. અને ફરાર આરોપી પર 10,000 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરવામા આવી હતી. ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમારનાઓની સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓને અંજામ આપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ -10 નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલ હતી. અને આ આરોપીને પકડી પાડવા આરોપી દીઠ રૂ. 10,000 ની જાહેરાત કરેલ. આ લીસ્ટેડ આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય
- Advertisement -
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પો.સ્ટે. ફ. ગુ.2.નં.123/2007, ઈ.પી.કો. કલમ 302 વિ. મુજબના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપી મનુભાઈ ઉર્ફે મનો વેલજીભાઈ ઉર્ફે વેલાભાઈ સોલંકી, ઉ.વ.57, રહે.ઘુડીયા આગરીયા, તા.રાજુલા, જિ.અમરેલી લીસ્ટેડ અને રૂ.10,000 ના ઇનામી આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. આ કામગીરીમાં અમરેલી એલ.સી.બી. પીઆઇ એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ. બહાદુરભાઇ વાળા, હેડ કોન્સ. લીલેશભાઈ બાબરીયા, જયેન્દ્રભાઈ બસીયા, પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.