– ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત
હરિયાણાના નૂહમાં સર્વ જ્ઞાતિ હિન્દુ મહાપંચાયત દ્રારા સોમવારે ‘શોભા યાત્રા’ કાઢવા માટે આપવામાં આવેલા આહ્વાનને ધ્યાનમાં રાખીને હરિયાણાના નૂહ અને અન્ય વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. સત્તાધીશોએ બ્રીજમંડળ યાત્રા કાઢવાની પરવાનગી આપી નથી પરંતુ યાત્રા કાઢવા વિહિપ મક્કમ છે, પ્રવકતા વિનોદ બંસલે કહ્યું કે ‘અભિષેક યાત્રા સોમવારે કાઢવામાં આવશે જ. આ એક તીર્થયાત્રા છે અને તેને કોઈ પરવાનગીની જરૂર નથી.
- Advertisement -
"Outsiders barred, Sec 144 imposed, internet snapped": Haryana Police tightens security in Nuh for Shobha Yatra
Read @ANI story | https://t.co/1wmGHHoUuE#Nuh #ShobhaYatra #haryanapolice pic.twitter.com/wHTNCmjstU
— ANI Digital (@ani_digital) August 28, 2023
- Advertisement -
હરિયાણાના નૂહમાં સોમવારે હિંદુ સંગઠનોએ શોભાયાત્રા કાઢવાની જાહેરાત કર્યા બાદ સુરક્ષા કડક કરવામાં આવી છે. પ્રશાસને આ માટે પરવાનગી આપી નથી. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે થોડા અઠવાડિયા પહેલા થયેલી હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી. આમાં ભાગ લેવાને બદલે લોકો પોતપોતાના વિસ્તારના મંદિરોમાં જલાભિષેક માટે જઈ શકે છે.કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાય સરકારની જવાબદારી છે. હરિયાણાના આઈજી રાજેન્દ્ર કુમારે કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદને યાત્રા ન કાઢવા માટે સમજાવવાઈ રહ્યા છે. તે જ સમયે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રવકતા વિનોદ બંસલે કહ્યું, ‘અભિષેક યાત્રા આજે નીકળશે જ. આ એક તીર્થયાત્રા છે અને તેને કોઈ પરવાનગીની જરૂર નથી.
#WATCH | On VHP yatra in Nuh, Haryana Mamata Singh, ADG, Law & Order says, "We have denied (permission) for any type of yatra or group movement…Internet service is suspended…Investigation is underway, more than 250 accused have been identified and arrested. Four SITs are… pic.twitter.com/OKVODFS7i1
— ANI (@ANI) August 28, 2023
જયારે 28 ઓગસ્ટની મધરાત 12 વાગ્યા સુધી જિલ્લામાં બલ્ક એસએમએસ અને ઇન્ટરનેટ સેવાઓ બધં કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લા ડેપ્યુટી કમિશનરે તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, બેંકોને સોમવારે બધં રાખવાનો આદેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનરે લોકોને ધીરજથી કામ લેવા અને શાંત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ ન થવા અપીલ કરી છે.
#WATCH | Nuh, Haryana: Seer Jagadguru Paramhans Acharya Maharaj from Ayodhya stopped at the Sohna toll plaza by the administration.
"I have come here from Ayodhya…The administration has stopped us here, they are not allowing us to move ahead nor they are allowing us to go… pic.twitter.com/m1Dv76xkna
— ANI (@ANI) August 28, 2023
ડ્રોનથી થઈ રહ્યું છે સર્વેલન્સ કાયદો અને વ્યવસ્થા માટે 60થી વધુ કંપનીઓના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં 6 સ્થળોએ ડ્રોન દ્રારા નજર રાખવામાં આવશે. જિલ્લા પ્રશાસને મંદિરોમાં બહારના લોકોને પ્રવેશ ન આપવાની જાહેરાત કરી છે. પલવલમાં પણ કલમ–144 લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, આયોજકો રવિવારે મોડી રાત સુધી બ્રજમંડળ યાત્રા કાઢવા માટે અડગ રહ્યા હતા. આયોજકોનું કહેવું છે કે પ્રશાસને તેમની પાસે યાત્રા પર જઈ રહેલા લગભગ 200 લોકોના નામ માંગ્યા છે