જમ્મૂ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના અને ખરાબ મોસમના કારણે સ્થગિત કરેલી અમરનાથ યાત્રા ફરી એક વાર શરૂ થઇ છે. જમ્મૂમાં રોકાયા પછી અમરનાથા તીર્થયાત્રીકોના નવા જથ્થાને જમ્મૂ બેસ કેમ્પથી રવાના કરવામાં આવ્યો છે.
મળેલી જાણકારી મુજબ, સોમવારના સવારે 5 વગ્યાથી જમ્મૂ બેસ કેમ્પથી પવિત્ર ગુફાના દર્શન માટે નવો જથ્થો રવાના થયો. પહલગામ રૂટ પર નુનવાન આધાર શિબિરથી અમરનાથ યાત્રિકોના જથ્થાને રવાના કરવામાં આવ્યો. બાલતાલ અને નુનવાન બંન્ને તરફથી હેલિકોપ્ટરની સેવા ચાલુ રહેશે.
- Advertisement -
યાત્રા શરૂ થવાથી યાત્રિકોમાં ખુશી
કુદરતી આફતોને લઇને શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, પોતાના ઘરેથી નક્કી કરીને જ નિકળ હતા કે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા વગર પાછા નહીં આવીએ. બાબાના દર્શ કરવા માટે અમે દરેક પરિક્ષા આપવા તૈયાર છીએ. અમને બાબા પર સંપૂર્ણ વિશ્વાસ છે.
કુદરતી આફતમાં ફસાયેલા શ્રદ્ધાળુઓની શોધખોળ ચાલુ
અમરનાથ ગુફાની પાસે શુક્રવારને લઇને પુરમાં ફસાયેલા લોકોનું શોધખોળ ચાલુ છે. શુક્રવારની સાંજે પવિત્ર ગુફાની પાસે અતિ ભારે વરસાદના કારણે ભેખડ ધસવાથી યાત્રાને રોકવામાં આવી હતી. ગુફાની સામે લગભગ 10 ફુટ સુધી ભેખડનો કચરો જમા થવાથી યાત્રાના રસ્તો બંધ થઇ ગયો હતો. સીઆરપીએફ અને બીજા કર્મચારીઓએ યાત્રીકોને સુરક્ષિત રૂપે આગળ વધવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.