કેન્દ્રીય પરિવહનમંત્રી નીતીન ગડકરીએ વધુ એક બોંબ ફોડયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
ભ્રષ્ટાચાર સહીતનાં મુદ્દે વખતોવખત વિધાનો કરીને પોતાની જ સરકાર માટે ક્ષોભજનક સ્થિતિ સર્જતા કેન્દ્રીય પરિવહનમંત્રી નીતીન ગડકરીએ વધુ એક બોંબ ફોડયો છે. સરકારમાં કથિત ભ્રષ્ટાચાર વિશે તેઓએ કહ્યુ કે ફાઈલ પર જેટલુ વજન (નાણાનું જોર) વધારે તે મુજબ ફાઈલ ફટાફટ આગળ વધે છે.
પુના ટેકનોલોજી યુનિવર્સીટીની કોલેજ ઓફ એન્જીનીયરીંગના કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાહેર કામોમાં નિશ્ચિત સમયમાં નિર્ણયો લેવા તથા પારદર્શકતા મુદ્દે ભારે મુકયો હતો.
હાઈવે પ્રોજેકટ તથા જીવલેણ માટે અકસ્માતોને આગળ ધરીને તેઓએ કહ્યું કે પ્રોજેકટ રીપોર્ટ જ ક્ષતિગ્રસ્ત રહેતા હોવાનું અકસ્માતો પાછળનું મુખ્ય કારણ છે. આ સિવાય કેટલાંક અમલદારો દરેક કામ માટે આદેશ માંગે છે.રસ્તાના ખાડા બુરવા માટે પણ આદેશની રાહ જુએ છે. આદેશ (પત્ર) અને લાગણી વચ્ચે તફાવત છે. કાયદા પાછળનો ઉદેશ-ભાવનાને સમજદાર વ્યકિત સમજી ન શકે તો તેનો શુ અર્થ?
માત્ર કોઈ એક કામ માટે નહીં પરંતુ અન્ય કામોમાં પણ અમલદારોને નાણા મળે છે. અમલદારોને નાણા મળે તો કામ તેજ ગતિએ થાય છે. અન્યથા ફાઈલ આગળ વધતી નથી.
- Advertisement -
આપણી સિસ્ટમમાં કેટલાંક લોકો એવા છે કે જે પોતાને ન્યુટનનાં પિતા (બાપ) સમજે છે. તેઓએ એવો એકરાર કર્યો હતો કે પોતે ગમે તે બાબતે ખુલ્લેઆમ બોલતા હોવાનું લોકો પણ કહી રહ્યા છે.દેશની યુવા પેઢી બોધપાઠ લ્યે તેવી પોતે અપેક્ષા રાખે છે. તેઓએ યુવા ઈજનેરોને પોતાના કૌશલ્યનો ઉપયોગ નવી શોધ અને રિસર્ચમાં કરવાની સલાહ આપી હતી. આ તકે તેઓએ એવુ પણ જાહેર કર્યુ હતું કે સરકાર મુંબઈ-બેંગ્લોર વચ્ચે 14 માર્ગીય પ્રોજેકટની યોજના ઘડી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી વખતોવખત ખુલ્લા વિધાનો કરી રહ્યા છે અને તેને કારણે સરકારને ભીંસની સ્થિતિમાં મુકાવાનો વખત આવે છે.
બે દિવસ પૂર્વે તેઓએ પોતાને વડાપ્રધાન બનાવવા માટે પણ એક સીનીયર વિપક્ષી નેતાએ ઓફર કર્યાનું વિધાન કર્યું હતું આ વિધાનનાં રાજકીય પ્રત્યાઘાતો પણ પડયા છે.