જસ્ટિસ વર્માના વિવાદ બાદ ન્યાયતંત્ર પર સવાલ ઉઠયા
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના સહિત 30 જજોએ સંપત્તિની માહિતી વેબસાઈટ પર મૂકી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હીના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવતા વિવાદ સર્જાયો છે. જેને પગલે ન્યાયતંત્રની શાખ દાવ પર લાગવી છે. આવા સમયે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના સહિત સુપ્રીમ કોર્ટના બધા જ જજોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટની ફૂલ કોર્ટે 1 એપ્રિલે તેમની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે સીજેઆઈ સંજીવ ખન્ના સમક્ષ રજૂ કરવામાં આવેલી જજોની સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવે. આ પહેલા જજોએ સીજેઆઈ સમક્ષ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જજોની સંપત્તિઓની વિગતો અપલોડ કરવા સંપૂર્ણપણે સ્વેચ્છા પર નિર્ભર હતું, પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે જજોની સંપત્તિઓ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે. હાલમાં સીજેઆઈ સહિત સુપ્રીમ કોર્ટના કુલ 30 ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે, જેમાં ન્યાયાધીશો બીઆર ગવઈ, સૂર્યકાંત, અભય ઓક, જેકે માહેશ્વરી, બીવી નાગરત્નાનો સમાવેશ થાય છે.