RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 2010માં હત્યા થઇ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
આજથી 14 વર્ષ અગાઉ ગુજરાતના રાજકારણને હચમચાવી નાખનારા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ સહિતના તમામ આરોપીઓ નિર્દોષ છુટી ગયા છે. અમિત જેઠવાના મર્ડર બદલ ભાજપના નેતા દીનુ બોઘા સોલંકી સામે કેસ ચાલ્યો હતો. પરંતુ ફરિયાદપક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. સીબીઆઈએ પણ આ કેસની તપાસ કરી હતી. અમદાવાદમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની વર્ષ 2010માં હત્યા કરવામાં આવી હતી જેમાં ભાજપના નેતા દીનુ બોઘા સોલંકી સામે આ હત્યાકાંડમાં સામેલ હોવાના આરોપ થયા હતા. હવે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે અને દીનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આવતી કાલે વોટિંગ થવાનું છે ત્યારે આ મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. અમિત જેઠવાને ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારવામાં આવી હતી અને તે સમયે સૌથી ચકચારી કેસ હતો. ગુજરાત હાઈકોર્ટમાં ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસમાં પકડાયેલા દીનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે.
- Advertisement -
અન્ય આરોપીઓમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) અને સંજય ચૌહાણ સામેલ હતા. આખા કેસની વાત કરીએ તો 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે લગભગ સાડા આઠ વાગ્યે અમિત જેઠવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા માટે આવ્યા હતા કે ભાજપના નેતા દીનું બોઘાથી તેમના જીવને જોખમ છે. હત્યા બાદ અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ મામલો એટલો વિવાદાસ્પદ હતો કે તેમાં તપાસ કરવા જઈંઝની રચના થઈ હતી અને સુરેન્દ્રનગરના તત્કાલીન તપાસની જવાબદારી સોંપવામાં આવી. ત્યાર બાદ ભીખાભાઇ જેઠવાએ આ કેસની તાપસ ઈઇઈંને સોંપવાની માગણી કરી.
કોર્ટે તેને માન્ય રાખી હતી અને 2012થી કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. સપ્ટેમ્બર 2010માં દીનુ બોઘાના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરવામાં આવી અને સાડા ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ તેને જામીન મળ્યા. 5 નવેમ્બર 2013 દિવસે ગીર સોમનાથના પૂર્વ BJP સાંસદ દીનું બોઘા સોલકીની ધરપકડ કરવામાં આવી. તેઓ સાડા ત્રણ મહિના જેલમાં રહ્યા અને પછી જામીન મળ્યા. સુરેન્દ્રનગર જિલ્લાનો શાર્પ શૂટર શૈલેષ આ કેસમાં હજુ જેલમાં છે. ડિસેમ્બર 2013માં આ કેસમાં પ્રથમ ચાર્જશીટ કરવામાં આવી, ત્યારબાદ સપ્લીમેન્ટરી ચાર્જશીટ કરવામાં આવી છે.
આ કેસમાં દીનુ બોઘા સોલંકી નિર્દોષ છુટી ગયા તેનું કારણ એ છે કે મોટા ભાગના સાક્ષી હોસ્ટાઈલ થયા છે. આ કેસમાં સાક્ષીઓ પર જોખમ હોવાથી કોર્ટે 18 સાક્ષીઓને 24 કલાક પોલીસ સુરક્ષા આપી હતી. ભીખાભાઈ જેઠવાએ વર્ષ 2016માં હાઇકોર્ટમાં અરજી કરી હતી અને રિટ્રાયલની માગણી કરી હતી જે માન્ય રહી હતી. આ કેસમાં અમિત જેઠવા તરફથી કોર્ટમાં આનંદ યાજ્ઞિક વકીલ તરીકે હાજર રહ્યા હતા જ્યારે દીનુ બોઘા સોલંકી તરફ રાજેશ મોદી વકીલ હતા. CBI તરફથી મુકેશ કાપડિયા વકીલ હતા.