22.34 ટકા આલ્કોહોલ હોવાનું પ્રમાણ રીપોર્ટમાં આવતા ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં આયુર્વેદીક દવાનાં નામે નશાયુક્ત પદાર્થનું વેંચાણ થતુ હતું જેના પગલે એસપી રવિ તેજા વસામસેટ્ટીની સુચનાથી એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ,જે.એમ.જાડેજા સહિતનાં પોલીસને ઠેરઠેર દરોડા પાડ્યાં હતાં. અને 1501બોટલ પકડી પાડી હતી.
- Advertisement -
બાદ એફએસએલમાં સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં. રીપોર્ટમાં 22.34 ટકા આલ્કોહોલ હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં આયુર્વેદીક દવાના નામે વેંચાતી 1501 બોટલ એસઓજીએ પકડી હતી. આ આર્યુવેદીક બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોવાનો રિપોર્ટ આવતા એસઓજીએ વંથલી,માળીયા અને ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં આયુર્વેદીક દવાના નામે ખુલ્લેઆમ દુકાનોમાં નશાકારક બોટલનું વેચાણ થતું હતું.
આ અંગે જાણ થતા એસઓજીએ દરોડા પાડી ચોરવાડ,માળીયા અને વંથલી પંથકમાંથી મળી કુલ 1501 બોટલ આયુર્વેદના નામે વેંચાતી નશાકારક બોટલ પકડી તેના સેમ્પલ લઇ એફએસએલમાં મોકલ્યા હતા.
- Advertisement -
એફએસએલ રિપોર્ટ આવ્યો હતો. જેમાં આયુર્વેદીક દવાના નામે વેચાતી બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ આવતા આ મામલે વંથલી પોલીસ સ્ટેશનમાં સુરેશ પ્રેમચંદ ગંગવાણી અને ફેઝલખાન સલીમખાન પઠાણ જયારે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં કાનો ઉર્ફે કાનન અશોક દવે અને ઘોઘા ગામના દિવ્યરાજ જાડેજા સામે પ્રોહીબિશનની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલે જણાવ્યું હતું કે, આ બોટલમાં 22.34 અને 20.72 ટકા આલ્કોહોલનું પ્રમાણ હોવાનો એફએસએલનો અભિપ્રાય આવ્યો છે. જેના અનુસંધાને ગુના દાખલ કરવામાં આવ્યો છે.