ATSની તપાસમાં ખુલાસો
રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા આતંકીઓ જન્માષ્ટમીના તહેવારે મોટો હુમલો કરવાના હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
થોડા દિવસો પહેલાં જ ગુજરાતના મુખ્ય શહેરોમાંના સુરત, પોરબંદર અને અમદાવાદથી આતંકવાડીઓ ઝડપાયા છે. ત્યારે 2 દિવસ પહેલાં 1લી ઓગષ્ટે જ રાજકોટના ગીચ વિસ્તાર એવા સોની બજારમાંથી અલ-કાયદા સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરાઈ હતી. તેઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં રહીને કામ કરતા હતા. ત્યારે આ આતંકવાદીઓ પાસેથી 1 પિસ્તોલ અને 10 જીવતા કારતુસ મળી આવ્યા હતા.
એજન્સીએ કરેલી આતંકવાદીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, આગામી હિંદુ તહેવાર જન્માષ્ટમીના દિવસે આ ત્રણેય આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હતાં. રિપોર્ટ્સ અનુસાર, રાજકોટના સોની બજાર વિસ્તારમાંથી બે દિવસ પહેલા અઝજ એ અલ-કાયદા સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓ ગુજરાતમાં ધામધૂમથી ઉજવાતા તહેવાર એવા જન્માષ્ટમીના દિવસે આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું બહાર આવ્યું છે.
- Advertisement -
રાજકોટમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો લોકમેળામાં જતાં હોય છે. આવા સમયે જ આતંકીઓએ કાવતરું ઘડ્યા હોવાનું બહાર આવ્યું છે. જેથી ગુજરાત અઝજએ આ કાવતરાને નિષ્ફળ બન્વ્યું છે.
રાજકોટ રેલવે સ્ટેશનની પણ કરી હતી રેકી
ઝડપાયેલા આંતકીઓ રેલવે સ્ટેશન પર રેકી કરી હોવાનો એજન્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત આ આતંકીઓને રાજકોટમાં લોકલ સપોર્ટ પુરા પાડનારાઓ સહિત 10થી 12 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ અઝજ કરી રહી છે.