ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પાંચ સદી બાદ ભગવાન શ્રી રામ તેમના નિજ ધામ પધારી રહ્યા છે ત્યારે ભારત ભગવામય બન્યું છે અને દરેક લોકો ઉત્સવના રૂપે ઊજવણી કરી રહ્યા છે દેશભરમાં અક્ષત કુંભ કળશ યાત્રા ચાલી રહી છે અને કોડીનાર શહેર સિધ્ધનાથ વસ્તીમા હનુમાનજી મંદિર વિરાટ નગર થી સત્યમ ચોક, બીલેશ્વર સોસાયટી, સીધનાથ ચોક, સરદાર નગર સોસાયટી અને અંતે મંદિર ખાતે અક્ષત કુંભ કળશ સ્થાપન અને મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સમગ્ર સિધ્ધનાથ વસ્તીમા અક્ષત કુંભ કળશ યાત્રા દરમિયાન નાશિક ઢોલ ના તાલે બાળકો, મહિલાઓ, યુવાનો, વડીલો અને સર્વે નગર જનો દ્વારા કંકુ અને ચોખા આરતી સાથે અક્ષત કુંભ કળશનું હર્ષ ઉલ્લાસ ભર સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર વસ્તીમા એક જ નારો હતો અમારું નગર અયોધ્યા ધામ. ઠેર ઠેર નાની બાળાઓએ તથા નગરની મહિલાઓએ આરતિ મહાઆરતી અને સ્વાગત તથા મંદીરમા અક્ષત કુંભ કળશની સ્થાપના કરી 22 જાન્યુઆરી સમગ્ર નગર રામમય બને તેવા નારા સાથે ભવ્ય થી અતિભવ્ય સ્વાગત યાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.