ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આગામી 22 જાન્યુઆરીનો દિવસ સમગ્ર ભારતવર્ષ માટે ઐતિહાસિક છે. પ્રભુ શ્રી રામના આગમનને વધાવવા ભારતવર્ષમાં સૌ ઘરેઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવીએ અને તે દિવસને દીવાળીની જેમ ઉજવવા માટે સૌ કટિબદ્ધ છે ત્યારે કોડીનાર નગર સિદ્ધનાથ વસ્તી ખાતે યુવાનો દ્વારા ઘરે ઘરે જઈને શ્રી રામના નારા સાથે નિમંત્રણ પત્રિકા, ભગવાન શ્રી રામજી મંદિરની પ્રતિમા અને અક્ષત આપવામાં આવ્યા હતા.
22 જાન્યું.ના રોજ સિધ્ધનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે હાલ ઘરે ઘરે અક્ષત અભિયાન પુર્ણ કર્યા બાદ મધુવન ચોક ખાતે યુવાનો, બાળકો, મહિલાઓ સાથે મળીને રામ ધૂન, શ્રી હનુમાન ચાલીસા પાઠ, ભારત માતાની આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઘર ઘર અક્ષત અભિયાન 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી સમગ્ર ભારત માં કાર્યક્રમ યોજાશે તેમજ આ મહોત્સવ સમગ્ર દેશવાસીઓ ઉજવી રહ્યા છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્વયંસેવકો દ્વારા દેશના ખૂણે ખૂણે કોઈ ઘર બાકી ના રહી જાય પ્રભુના આશિષ થી માટે સતત અને નિરંતર કાર્યરત રહી રામકાર્ય કરી રહ્યા છે.
કોડિનાર નગર સિદ્ધનાથ વસ્તીમાં ઘરે ઘરે અક્ષત અભિયાન મહોત્સવ
