ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં 14 ટકાનો વધારો
વર્ષ 23-24માં સવા કરોડથી વધુ મુસાફરોનું આવાગમન: ઉત્તમ સુવિધાઓના કારણે હવાઈ ટ્રાફિકમાં વધારો થયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.28
અમદાવાદ એરપોર્ટ પર યાત્રિકોની 14 ટકાની વૃદ્ધિ થઇ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં 14 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનો એરપોર્ટનો રેકોર્ડ છે. વર્ષ 23-24માં સવા કરોડથી વધુ મુસાફરોનું આવાગમન થયુ છે.ઉત્તમ સુવિધાઓના કારણે હવાઈ ટ્રાફિકમાં વધારો થયો છે. તેમજ 2023-24માં 88,305 ફ્લાઇટ્સનું આવાગમન થયુ છે. ત્યારે અમદાવાદ SVP એરપોર્ટે સૌથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનો રેકોર્ડ સર્જ્યો છે. જેમાં ઉત્તમ સુવિધાઓને કારણે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકમાં વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં ગયા વર્ષની સરખામણીએ મુસાફરોની સંખ્યામાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. તથા 2023-24માં 1,15,87,899 મુસાફરોને સેવા પૂરી પાડવાનો વિક્રમ જટઙઈં એરપોર્ટે સર્જ્યો છે.ગત નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ એરપોર્ટ પર ફ્લાઈટસની વૃદ્ધિ નોંધાઈ છે. 2023-24માં અમદાવાદ એરપોર્ટ પર 88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી20, યુ20 અને વર્લ્ડ કપ મેચ જેવી મુખ્ય ઘટનાઓને કારણે એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાથી મુસાફરોની સગવડમાં વધારા
- Advertisement -
- ડિજી યાત્રા: ઝડપી બોર્ડિંગ એક્સેસ માટે ટર્મિનલ 1 (ઝ-1) પર શરૂ કરાયેલ ડિજી યાત્રાને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને પીક અવર્સમાં તે ખૂબ ઉપયોગી નીવડે છે.
- સેલ્ફ-બેગેજ ડ્રોપ: આ સેવા બેગેજ ચેક-ઈનને ઝડપી બનાવી પ્રવાસીઓનો સમય બચાવે છે.
- પિકઅપ અને ડ્રોપ માટે ખાસ લેન: મુસાફરોની યાત્રા વધુ સરળ બનાવવા આગમન અને પ્રસ્થાન વિસ્તારોમાં સમર્પિત લેન બનાવવામાં આવી છે.
- ઈ-ગેટ્સની સંખ્યામાં વધારો: મુસાફરોને સિક્યુરીટી ચેક સુધી પહોંચવા સરળ અને મુશ્કેલીમુક્ત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા ઈ-ગેટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
ઉત્કૃષ્ટ બેગેજ સર્વિસીઝ: ટર્મિનલમાં તમામ નવા આગમન હોલ ખાતે બેગેજ રિક્લેમ બેલ્ટમાં પણ ઉમેરો કરે છે. - ફોરકોર્ટ વિસ્તરણ અને આગમન પ્લાઝા: ફોરકોર્ટ વિસ્તાર વધુ છૂટક અને ખાણી-પીણીના વિકલ્પો સાથે તમામ નવા અરાઈવલ પ્લાઝા મુસાફરોને લેવા-મૂકવા આવતા પેસેન્જર્સના સંબંધીઓની જરૂરિયાતો સંતોષવામાં મદદ કરે છે.