અમદાવાદ 186 અને વડોદરા 181 અચઈં સાથે ‘ખરાબ’ શ્રેણી તરફ; રાજકોટમાં પણ હવાની ગુણવત્તામાં ઘટાડો
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતના મુખ્ય ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તામાં મોટો ઘટાડો નોંધાયો છે જે સામાન્ય જનતા માટે સ્વાસ્થ્યનું જોખમ ઊભું કરી રહ્યો છે.
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો સુરત શહેર 225 અચઈં સાથે રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. અમદાવાદમાં પણ હવાની સ્થિતિ ગંભીર છે અને ત્યાં 186 અચઈં નોંધાયો છે. વડોદરા 181 અચઈં સાથે પ્રદૂષણની યાદીમાં ત્રીજા ક્રમે છે જ્યારે રાજકોટમાં 156 અચઈં નોંધાયો છે જે ’મધ્યમ’ શ્રેણીમાં હોવા છતાં આરોગ્ય માટે હિતાવહ નથી. સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ તેના મહત્તમ સ્તર પર જોવા મળી રહ્યું છે.
શહેરોમાં સતત વધતા વાહન વ્યવહાર અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ધુમાડાને કારણે હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધી ગયું છે. સુરતમાં ખાસ કરીને બાંધકામ પ્રવૃત્તિ અને ઉદ્યોગો હવા બગાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના મતે 150 થી વધુ અચઈં ધરાવતી હવા શ્ર્વાસમાં લેવાથી અસ્થમા અને હૃદયરોગના દર્દીઓ માટે ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ પ્રદૂષિત હવાને કારણે સામાન્ય નાગરિકોમાં પણ આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ગળાની એલર્જી જેવી ફરિયાદો સતત વધી
રહી છે.
પર્યાવરણ અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને આ પ્રદૂષિત વાતાવરણથી બચવા માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ સવાર અને સાંજના પ્રદૂષિત સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બહાર નીકળતી વખતે માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવો અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા નિષ્ણાતો જણાવી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ પ્રદૂષણ ફેલાવતા પરિબળો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.



