તેરા તુજકો અર્પણ હેઠળ રૂ.14,15,027નો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદી/માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવે છે. અમદાવાદના જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા મોબાઈલ ફોન ઝોન 06 એલસીબી તથા ટેકનિકલ સેલના ઇન્ચાર્જ પીએસઆઇ એન.કે.જાડેજા, પી.એસ.આઈ.એમ.ડી. રાઠવા, પો.કો. રાજેશભાઈ તથા કઈઇ સ્ટાફ સહિતની ટીમ દ્વારા ઈઊઈંછ પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલા કુલ 90 મોબાઈલ ફોન કિંમત રૂ. 14,15,027/- નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યા હોઈ, ઝોન 06ના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફરિયાદી/અરજદારને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા કાર્યવાહી કરવામાં આવતા, ગુમ થયેલ મુદ્દામાલ ફરિયાદી/અરજદારને ડીસીપી કચેરી ખાતે રૂબરૂ બોલાવી પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવ્યા હતા.
આ પહેલા પણ ડીસીપી ઝોન 06 એલસીબી દ્વારા એપ્રિલ માસમાં આશરે સાડા આઠ લાખ રૂપિયાના 55 મોબાઈલ પણ શોધી લોકોને પરત સોંપવામાં આવ્યા હતા. આમ, ડીસીપી ઝોન 06 એલસીબી દ્વારા બે માસના ગાળામાં આશરે રૂ. 23,00,000/- ના આશરે 150 મોબાઈલ ફોન લોકોને પરત સોંપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે ટૂંકા ગાળામાં ફરિયાદી/અરજદારને આશરે પંદર લાખ રૂપિયા જેટલા માતબર રકમના મોબાઈલ ફોન પરત કરવામાં આવતા, ફરિયાદી/અરજદાર ભાવ વિભોર થયા હતા અને વારંવાર અમદાવાદ શહેર પોલીસ તથા ઝોન 06 પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.