3માંથી એક ચોર સગીર નીકળ્યો : સગીરે પહેલીવાર ગુનો આચર્યો હોય ભવિષ્યમાં આવું કૃત્ય ન કરે તે માટે પોલીસની સરાહનીય કામગીરી
ઘરમાં નોકર રાખતા પહેલાં તેની પૂરતી તપાસ કરવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.22
અમદાવાદ શહેરના ઘોડાસર, આશાપુરી સોસાયટી ખાતે રહેતા કશ્યપભાઈ અતુલભાઈ વઢવાણાએ પોતાના પિતા સારવાર હેઠળ હોઈ, બેડ રેસ્ટ હોય, તેઓની સાર સંભાળ માટે કેર ટેકર તરીકે કાર્તિક સોઢા નામનો માણસ તેમજ રસોઈ અને કચરા પોતા માટે એમ ત્રણ માણસો રાખેલા હતા. તાજેતરમાં પોતાના ઘરે સામજિક પ્રસંગ હોય, સોનાના દાગીનાની જરૂર પડતાં, પોતાના ઘરની તિજોરીમાં જોતા સોનાનો સેટ, સોનાનો ચેઈન, બુટ્ટી, વિટી, રોકડ રૂ. 7,000/- સ્માર્ટ વોચ, વિગેરે મળી કુલ રૂ. 3,04,000/- ની ચોરી થતા, ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, તપાસ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ.જાડેજા, પીએસઆઈ આર.બી. તેલે તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ આર.બી. તેલે તથા સ્ટાફના પો.કો. રોહિતસિંહ, એજાઝ હુસેન, સાબિર હુસેન, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવતા, તેઓની ઘરે કામ કરવા આવતો કાર્તિક સોઢા ચોરીના બનાવની ફરિયાદ કરતા, ઘરે કામ કરવા આવવાનું બંધ કરી દીધેલ હોઈ, જે શંકાસ્પદ હોઈ, તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી, આગવી ઢબે પૂછપરછ કરતા, પહેલા તો ગલ્લા તલ્લા કરેલ હતા પરંતુ, ઈસનપુર પોલીસની ટીમ દ્વારા પોલીસની ભાષામાં સમજાવતા, પહેલી વાર જ ગુન્હો આચરેલ હોઈ, ભાંગી પડેલ હતો અને પોપટ બની, ચોરી કરેલાની કબૂલાત કરતાં, આરોપી કાર્તિક હસમુખભાઈ સોઢા ઉવ. 24 રહે. નવ નિર્માણ, ખોખરા, અમદાવાદ મૂળ રહે. નવાગામ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પીએસઆઇ આર.બી. તેલે તથા સ્ટાફના પો.કો. રોહિતસિંહ, એજાઝ હુસેન, સાબિર હુસેન, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવતા, પોતે પોતાના મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોઈ, દેવું થઈ જતાં, રૂપિયાની જરૂરિયાત હોઈ, આ ચોરી કરી અને સોના ચાંદીના દાગીના વિરલ અરવિંદભાઈ સોનીને વેચેલા હોવાની કબૂલાત આપી હતી. ચોરી કરવામાં આવેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી, કુલ આશરે કિંમત રૂ. 1,50,000/- દોઢ લાખનો મુદામાલ કબજે કરાયો છે અને ચોરીનો માલ રાખવા સબબ માણેક ચોકમાં ડીવાઈન જવેલર્સ નામની દુકાન ધરાવતા સોની વેપારી વિરલ અરવિંદભાઈ સોની ઉવ. 33 રહે. સેટેલાઈટ, અમદાવાદની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા, ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ.જાડેજા, પીએસઆઈ આર.બી. તેલે તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, આરોપી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોય અને ચોરીનો ગુન્હો પહેલીવાર જ કર્યો હોઈ, તેના માતા પિતાની હાજરીમાં સમજાવતા, આરોપીએ પસ્તાવો થતાં અને ભવિષ્યમાં ક્યારેય પણ ગુન્હાહિત કૃત્ય નહિ કરવાના સોગંધ લઈને, હવે માત્ર અભ્યાસમાં ધ્યાન આપી, સુધરી જવાની પણ ખાત્રી આપી હતી. ઈસનપુર પોલીસ દ્વારા આરોપીને દિન 01ના પોલીસ રિમાન્ડ ઉપર છે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા નર્સિંગ ના અભ્યાસ કરતા યુવાનને નાના આરોપીમાંથી મોટા ગુન્હેગાર બનતા અટકાવવા કરવામાં આવેલ કાઉન્સેલર તરીકેની ભૂમિકાની ચોમેર પ્રસંશા થઈ રહી છે. ઈસનપુર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી, ફરિયાદીને આશરે દોઢ લાખ જેટલો મુદ્દામાલ પરત અપાવવાની સાથે આરોપીને ગુન્હેગાર બનતો અટકાવવા પ્રયત્ન કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.



