કૃષિમંત્રીએ ઓચિંતી કૃષિ ભવનની મુલાકાત લેતા અધિકારીઓમાં ફાળ પડી
ગેરહાજર તમામના રિપોર્ટ અને બહાર પ્રવાસનો રિપોર્ટ અપાશે
- Advertisement -
ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે કૃષિ ભવનની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં ફાળ પડી ગઇ હતી. ગાંધીનગર કૃષિભવન ખાતે કૃષિમંત્રી પહોંચ્યા હતા. વર્કિંગ ડેમાં 20 થી 25 અધિકારીઓ ઓફિસમાં હાજર નહોતા. કૃષિમંત્રીએ ઓચિંતી મુલાકાત બાદ કહ્યું કે આગળ પણ સરપ્રાઈઝ વિઝિટ ચાલુ રહેશે અને બેદરકારો સામે કડક કાર્યવાહી થશે. ખાતાના વડાની જવાબદારી રહેશે.
કૃષિ ભવનના ચારેય માળે સરપ્રાઇસ વિઝીટ કરી અને અહીંના કર્મચારીઓ સાથે વાત કરી. જે પણ અધિકારીઓ છે તેમની માહિતી લેવામાં આવી. સરપ્રાઇઝ વિઝિટથી કર્મચારીઓનો ઉત્સાહ વધશે. પહેલી વખત આ પ્રકારની સરપ્રાઇઝ વિઝીટ પર પહોંચ્યા હતા. આજે કૃષિમંત્રી તમામ વિભાગોમાં પહોંચ્યા અને વિભાગના વડાને સાથે રાખીને કર્મચારીઓની સ્થિતિ શું છે તેની માહિતી મેળવી છે.
કૃષિ ભવનના ચાર માળ છે ચારેય માળની મુલાકાત લીધી. જે-જે વિષયો ધ્યાનમાં આવ્યા તેને નોંધવામાં આવ્યા. તમામ વિભાગના વડાઓ કૃષિ નિયામક, આત્મા નિયામક, પશુપાલન નિયામક પાસેથી ડિટેલ રિપોર્ટ માંગવામાં આવશે. અધિકારીઓના સંદર્ભમાં તેમના કામના સંદર્ભમાં. નવી સરકારમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.
- Advertisement -
હાજર કર્મચારીએ કહ્યું કે મંત્રીશ્રીએ અમારો ઉત્સાહ વધાર્યો છે. મંત્રીશ્રી મુલાકાતમાં આવે તો અમારો ઉત્સાહ વધે. અધિકારીઓ ગેરહાજર છે તે રિપોર્ટ પણ તૈયાર થઇ રહ્યો છે. પરંતુ જે ગેરહાજર અધિકારીઓ છે તેમનામાં ફફડાટ ફેલાયો છે.