કાર્યક્રમ પૂર્ણ થતા કૃષિ મેળાના સ્ટોલ પણ ખાલીખમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને નવીતમ ખેતી માટેની પધ્ધતિ દર્શાવામાં આવે છે તેવામાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ આ પ્રકારના કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14થી 15 ઓક્ટોમ્બર સુધી ચાલનારો કૃષિમેળો શરૂ થયાના એક કલાકમાં જ પૂર્ણ થઈ ચૂક્યો હતો ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવેલ આ કૃષિમેળમાં કુલ 8 સ્ટોલ નાખવામાં આવ્યા હતા. જ્યારે સવારે કૃષિ મેળો શરૂ થતા તમામ સ્ટોલ પર ખેડૂતને નવીનતમ ખેતીની પધ્ધતિ દર્શાવામાં આવી હતી જે બાદ આગેવાનો અને ધારાસભ્ય સહિતનાઓ દ્વારા કૃષિમેળો ખુલ્લો મુકવાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ ભોજન શરૂ થતા તમામ ખેડૂતો થાળીઓ લઈને ગોઠવાઈ ગયા હતા અને આ તરફ કૃષિમેળો ખાલીખમ જોવા મળ્યો હતો. એટલું જ નહીં કૃષિ મેળાના મોટાભાગના સ્ટોલ પણ કાર્યક્રમના એક કલાક બાદ ખાલી થઈ ચૂક્યા હતા જેને લઇ બે દિવસ ચાલનારો કૃષિ મેળો એક કલાકમાં જ આટોપી લેવાયો હતો.