By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયલનો ગાઝા પર હુમલો 27નાં મોત, હમાસના ઠેકાણાઓ નિશાન પર
    14 hours ago
    દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ, PoK વિધાનસભામાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકનું નિવેદન
    15 hours ago
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    2 days ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    2 days ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંક ફુડનું વેચાણ 40% વધ્યું બાળકોમાં મેદસ્વીતા ‘ડબલ’ થઈ
    14 hours ago
    ઈલોન મસ્ક 6 મહિનામાં જ ટ્રમ્પ કૅમ્પમાં પાછા ફર્યા
    14 hours ago
    SIRએ હિજરત શરૂ કરી, બાંગ્લાદેશી વસાહતીઓની બંગાળમાં બોર્ડર ચેકપોસ્ટ પર ભીડ
    15 hours ago
    EDની તપાસમાં નકલી માન્યતા દાવાઓ પર રચાયેલ રૂ. 415-કરોડ અલ-ફલાહ યુનિવર્સિટી કૌભાંડનો પર્દાફાશ થયો
    16 hours ago
    બિલ પર કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પર સમયમર્યાદા લાદી નહીં શકાય: સુપ્રીમ કોર્ટ
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    3 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    6 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    7 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    252-કરોડ MD ડ્રગ્સ કેસમાં ઓરીને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
    16 hours ago
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    2 days ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    3 days ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    6 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિક્ષણ સમિતિનાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ AAPનું આક્રમક વિરોધ પ્રદર્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શિક્ષણ સમિતિનાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ AAPનું આક્રમક વિરોધ પ્રદર્શન
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

શિક્ષણ સમિતિનાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ AAPનું આક્રમક વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor
Last updated: 2022/09/20 at 6:14 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

રાજકોટ શિક્ષણ સમિતિના બિક્કણ ચેરમેને SRP-પોલીસ બોલાવી લીધી

ભાજપની નેતાગીરી ઊંઘે છે અને ‘આપ’ને મુદ્દાઓ આપે છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબર સહિતના ડિજીટલ અને પ્રિન્ટ મીડિયા દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી સતત રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક પછી એક કૌભાંડ ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાની ચોકડીએ સાથે મળી યુનિફોર્મ, સ્કૂલ સ્ટેશનરી, રમતગમત સાધનો, પુસ્તકો વગેરેની ખરીદી, કશ્મીર ફાઈલ્સ મુવીના ટિકિટની મફતમાં લ્હાણી, પ્રવાસી શિક્ષકોની ભરતી, કાયમી શિક્ષકોની બદલી, સરકારી શાળા દત્તક આપવા, સરકારી ગ્રાન્ટ દુરુપયોગ તેમજ મહાનગરપાલિકાની હાઈસ્કૂલનું મકાન ખાનગી સંસ્થાને દત્તક આપવા સહિત અસંખ્ય કૌભાંડોના વિગતવાર અહેવાલો વિવિધ ડિજીટલ અને પ્રિન્ટ મીડિયમાં પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે.

અતુલ પંડિત એન્ડ કંપનીનો આડકતરો સંદેશ

- Advertisement -

‘અમને ભ્રષ્ટાચાર, ગેરવહિવટ કરવા દો, વિરોધ કરશો તો અમારી પોલીસ ઉઠાવી જશે!’

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલતા ગરબડ, ગોટાળા, ગોલમાલ અંગેના અહેવાલ બાદ આમ આદમી પાર્ટી દ્વારા આજથી દોઢ મહિના અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પણ આપવામાં આવ્યું હતું આમ છતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કે ઉચ્ચ સત્તાધીશો દ્વારા રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતા ગરબડ, ગોટાળા, ગોલમાલની કોઈ નક્કર તપાસ કરવામાં ન આવતા કે જવાબદાર પર પગલાં ભરવામાં ન આવતા આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ફરી એકવાર રાજકોટ શિક્ષણ સમિતિના કાર્યાલયમાં ચેરમેન અતુલ પંડિતને નિવેદન આપી સમગ્ર કૌભાંડ મામલે સ્પષ્ટતા કરવા અથવા ચેરમેન પદ પરથી રાજીનામું આપવા જણાવવામાં આવ્યું હતું. રાજકોટ આમ આદમી પાર્ટીના સીવાયએસએસના પ્રમુખ સૂરજ બગડા તેમજ શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાએ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આજથી આશરે દોઢ માસ પૂર્વે શિક્ષકોના ગણવેશમાં ખૂબ મોટાપાયે કૌભાંડ થયું હોવાનું સમાચાર પત્રોના માધ્યમથી સામે આવેલ, જેમાં હલકી ગુણવત્તાનો ગણવેશ ફરજિયાત સૂચવેલ દુકાન પરથી જ ખરીદી કરવી વગેરે જેવો વિવાદ થયેલ, તેમજ જે દુકાન પરથી ગણવેશ લેવાનું ફરમાન કરવામાં આવેલ તે દુકાન પણ કોઈ સમિતિ સાથે જોડાયેલ વ્યક્તિની હોવાનું જાણવા મળેલ. આ ગણવેશ માટે એક શિક્ષક દીઠ આશરે રૂા. 5500ની ફાળવણી કરવામાં આવેલ. તેમાં પણ આ રકમની ગ્રાન્ટ ખરેખર શાળાના ડેવલોપમેન્ટ પાછળ વાપરવાની હતી તેના બદલે આમ શિક્ષક-આચાર્યના ગણવેશ પાછળ ફાળવવી અયોગ્ય છે. આમ આવા તમામ મુદ્દે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે આપનો આ સમગ્ર પ્રકરણમાં હાથ હોય તેવા આપ ઉપર આક્ષેપો થયેલ. તેનો ખુલાસો કર્યા વગર તમો 40 દિવસની રજા ઉપર બહારગામ જતાં રહેલ. આ ઉપરાંત શહેરના પોશ વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિ હેઠળ આવતી શાળા નંબર 93ને ખાનગી સંસ્થાને એમ.ઓ.યુ. કરીને દત્તક આપવામાં આવેલ. જેમાં પણ આપની ગેરહાજરીમાં વિવાદ થયેલ અને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્યએ રસ્તા ઉપર ઉતરવું પડેલ. જે શાળા વ્યવસ્થિત રીતે ખૂબ સારી રીતે ચાલતી હોય તેને આમ ખાનગી સંસ્થાને સોંપવી અયોગ્ય છે. વિવાદ થતાં ખાનગી સંસ્થાને એમ.ઓ.યુ. રદ કરવા ખાતરી આપેલ, જે પણ આપની ગેરહાજરીમાં હજુ સુધી રદ થયેલ નથી.

અતુલ પંડિતે આપનાં કાર્યકરો પર પોલીસ મારફતે દમન ગુજાર્યું
આજરોજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કેટલાંક કાર્યકરો ગાંધીચીંધ્યા માર્ગે ચેરમેન અતુલ પંડિતને આવેદનપત્ર આપવા પહોંચવાના હતા પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો શિક્ષણ સમિતિના કાર્યાલય ખાતે પહોંચે તે પહેલાં જ અતુલ પંડિતે પોલીસ બોલાવી લીધી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો શિક્ષણ સમિતિના કાર્યાલયમાં આવતાની સાથે જ ટૂંકસમયમાં તેમની અટકાયત કરાવી દીધી હતી એટલું જ નહીં, આ અટકાયતમાં આમ આદમી પાર્ટીના કેટલાંક કાર્યકરો ઘવાયા પણ હતા. રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે પોલીસ મારફતે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર દમન ગુજાર્યું હતું અને આ ઘટનાના પડઘા પળવારમાં છેક દિલ્હી આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગયા હોય તેમણે પણ સમગ્ર મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વને સમગ્ર મામલે તપાસ સોંપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પંડિતે લાજ-શરમ નેવે મૂકી : મારા પર આક્ષેપો છે, સાબિત થયા નથી
આમ આદમી પાર્ટી રાજકોટ સીવાયએસએસના પ્રમુખ સૂરજ બગડા, શિક્ષણ સેલના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરોએ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતને વિવિધ ગડબડ, ગોટાળા અને ગોલમાલ અંગે આવેદનપત્ર આપી સમગ્ર મામલે કેટલાંક સવાલો કર્યા હતા ત્યારે અતુલ પંડિતે તમામ લાજ-શરમ નેવે મૂકી બેશર્મીથી કહ્યું હતું કે, મારા પર આક્ષેપો છે પણ સાબિત થયા નથી. મતલબ કે, રાજકોટ શિક્ષણ સમિતિ કે તેમના ચેરમેનને પોતાના પર થઈ રહેલા આક્ષેપો મામલે જરા પણ ગંભીરતા નથી. લાજવાને બદલે ગાજતા ફરતા પંડિત પોતે નિર્દોષ હોય તો ખુલાસો કેમ કરતા નથી એ સૌ કોઈ જાણે જ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક રૂપિયાનું પણ કૌભાંડ નથી થયું એ વાત અતુલ પંડિતના શબ્દો જેટલી જ ખોટી છે. અતુલ પંડિતે કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા તથા દિપક સાગઠિયા સાથે મળી ક્યાં, કેટલું અને કેવું-કેવું સાચું-ખોટું કર્યું છે એ ઓપન સિક્રેટ છે.

ભાજપની નેતાગીરી કેમ ખામોશ? અતુલ પંડિત પર આટલી મહેરબાનીનું કારણ શું?
રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા તેમજ તેના સાથી દિપક સાગઠિયા સાથે મળી આચરેલા કૌભાંડ ભાજપ માટે બોજરૂપ બની ગયા છે. આમ છતાં ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા સતત અતુલ પંડિત એન્ડ કંપનીના પાપ ઢાંકવાની પ્રવૃત્તિને અંજામ આપવામાં આવી રહ્યો છે. જો ભાજપના આ ’વહિવટ’દારો પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવે છે તો તેમના પર પોલીસ મારફતે દમન ગુજારવામાં આવે છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી ન માત્ર ખાસ-ખબર પરંતુ વિવિધ પ્રિન્ટ અને ઈલેટ્રોનિક મીડિયામાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કૌભાંડો અંગેના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે છતાં પણ કોણ જાણે કેમ ભાજપની નેતાગીરી રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતા ગેરવહિવટ મામલે ખામોશ છે અને અતુલ પંડિત પર મહેરબાની દર્શાવી રહી છે એ સૌથી મોટો સવાલ છે.

ચૂંટણી માથા પર છે ત્યારે પંડિતની લીલા પાર્ટી માટે બોજરૂપ: છતાં નેતૃત્વ દ્વારા સતત પંડિતનાં પાપ ઢાંકવાની પ્રવૃત્તિ ચાલું

તાજેતરમાં સમાચાર પત્રના માધ્યમથી જાણવા મળે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળા નં. 69ના મેદાનમાં આવેલ સરકારી શાળાનું બિલ્ડિંગ જેને પ્રયાસ નામની ખાનગી સંસ્થાને સોંપવમાં આવેલ છે જેમાં વિવાદ ઉત્પન્ન થયેલ છે ત્યારે આમ સરકારી શાળા તેમજ તેના કોઈ ભાગને ખાનગી સંસ્થાને સોંપવું ખૂબ નિંદનીય બાબત છે. આમ, ગણવેશ કૌભાંડ તેમજ શાળા નંબર 93ના વિવાદ સામે અમો આમઆદમી પાર્ટી દ્વારા 5 ઓગસ્ટના રોજ મ્યુનિ. કમિશનર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી કે સમગ્ર બાબતની તપાસ કમિટીની રચના કરીને કાયદેસર તપાસ કરવામાં આવે અને સત્ય બહાર લાવી દોષિતોને સજા કરવામાં આવે, પરંતુ ખૂબ દુ:ખ સાથે કહેવું પડે છે કે જે બાબતે કોઈ પણ પ્રકારના ઠોસ પગલાં લેવામાં આવેલ નથી તેથી અમો આમઆદમી પાર્ટી શિક્ષણ સેલ તેમજ વિદ્યાર્થી પાંખ સી.વાય.એસ.એસ.ની સ્પષ્ટ માંગ છે કે આ તમામ મુદ્દે યોગ્ય તપાસ થાય અને તમારા ઉપર જે કંઈ આરોપ છે, જો તે ખોટા હોય તો તેનો તમો ખુલાસો કરો અને જો તે આરોપ સત્ય હોય તો આપ જે પદ ધરાવો છો તેની ગરિમા જળવાઈ રહે તે માટે તેના ઉપરથી તાત્કાલિક ધોરણે રાજીનામું આપો. એવું નિવેદન આજરોજ આમ આદમી પાર્ટીએ આપ્યું છે.

રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડો મામલે આપના કાર્યકરોનું આવેદનપત્ર અને અટકાયતનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!

શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણને વેગ મળશે

‘વાંચનથી વિમુખ ન થાઓ’: રાજકોટમાં 3 શ્રેષ્ઠ વાંચન પ્રેમીઓનું સન્માન

TAGGED: ATULPANDIT, dineshsadadiya, DIPAKSAGATHIYA, KIRITPARMAR, RAJKOTEDUCATIONCOMMITTEE, scam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાતિવાદ નાબૂદ કરીને ક્રાંતિ કરનાર સંપ્રદાય: જાતિવાદની ચુંગાલમાં?
Next Article ૨૩ થી ૨૫ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ખ્યાતનામ આખના તબીબો રાજકોટમાં કરશે વિચાર મંથન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!
શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણને વેગ મળશે
‘વાંચનથી વિમુખ ન થાઓ’: રાજકોટમાં 3 શ્રેષ્ઠ વાંચન પ્રેમીઓનું સન્માન
રાજુલામાં બીડી કામદાર વિસ્તારમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 8.5 લાખ લીટરના સંપનું ખાતમુહૂર્ત કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કેથ લેબને ‘અલિગઢી તાળાં’

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગુજરાત

CBSE ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં માર્ક્સ ભરવામાં ભૂલ કરશો તો સુધારો નહીં થાય!

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

શાળામાં સ્વામી વિવેકાનંદ વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?