‘કોંગ્રેસ આપને દ્વાર’ : વોર્ડ નં. 15માં દૂધ સાગર રોડ પર જનસંપર્ક અભિયાન
તંત્ર સામે જનરલ બોર્ડમાં લડત, હવે જનતાના દ્વારે કોંગ્રેસની સીધી વાત
- Advertisement -
પ્રજાના પ્રશ્ર્નો સાંભળ્યા અને સ્થળ પર જ નિરાકરણની ખાતરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. 15ના પ્રમુખ આરીફભાઈ ધોણીયાના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ અને મકબૂલભાઈ દાઉદાની એ વિસ્તારની પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા અને સ્થળ પર જ નિરાકરણ માટે ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ખાસ નોંધ લેવાઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વોર્ડ નં. 15ના કોર્પોરેટરો પ્રજાના હક માટે સહેજ પણ નમ્યા વગર મજબૂત વિરોધ નોંધાવે છે. શાસક પક્ષ અને તંત્ર સામે આંખમાં આંખ મિલાવીને પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવી અને વોર્ડ માટે વિકાસના કામો ખેંચી લાવવા એ તેમની કાર્યશૈલી બની ગઈ હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.
શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવીની પડખે ઉભી રહી છે અને લોકોના પ્રશ્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલુ રાખશે. વોર્ડ નં. 15ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટરો માત્ર બોર્ડમાં જ નહીં, પરંતુ રોજબરોજ પ્રજાની વચ્ચે રહી ગટર, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવે છે. દૂધ સાગર રોડના રહીશોએ કહ્યું કે, અમારા કોર્પોરેટરો અમારી શક્તિ છે. તેઓ જનરલ બોર્ડમાં તંત્ર સામે લડે છે અને જમીન પર અમારી સેવા કરે છે. ‘કોંગ્રેસ આપને દ્વાર’ જનસંપર્ક કાર્યક્રમને વોર્ડવાઇઝ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં લોકોનો વિશ્વાસ જાળવી પ્રજાલક્ષી પ્રશ્નોનો ઉકેલ લાવી કોર્પોરેશનમાં કુશાસનની જગ્યાએ સુશાસન સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા ડો. રાજદીપસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી.
વોર્ડ નંબર 15માં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી, વોર્ડ પ્રમુખ આરીફ ભાઈ ઘોણીયા, મહામંત્રી પ્રવિણભાઇ રોજાસરા, કોર્પોરેટરો મકબુલ ભાઈ દાઉદાણી, કોમલબેન ભારાઈ, તેમજ કાર્યકરો અકબરભાઇ પતાણી, અલતાફ રાઉમા, માવજી ભાઈ મકવાણા, મુકેશભાઈ કોળી, રમેશ ભાઈ ચુડાસમા, મનોજભાઈ મેવાસીયા, જગદીશભાઈ મકવાણા, રમેશભાઈ જાદવ, દીપકભાઈ સાકરીયા, મહંમદ અલી ચાનીયા, ઇમરાન સમા, રામદેવ સિંહ વાઘેલા, ઇમરાન પરમાર, હરેશ ભારાઈ, જયદીપભાઇ મયાત્રા, ખીમજીભાઇ ભાટી, રાહુલ સાકરીયા, અનિલભાઈ ભટ્ટી, ફારૂક શાહ સાહમદાર, સબીર ખાન બલોચ (દરબાર), વસીમભાઈ લુવાની, અલી ભાઈ પીનજારા, મહેબુબભાઇ દલવાડી, કુતુબભાઈ લાખાણી, દિલીપભાઈ નકુમ, અજમલભાઈ નકુમ, નિલેશભાઈ દેથરીયા, લલીતભાઈ પરમાર, સોયબ શાહમદાર, રમજાન રાઉમા, ફિરોજ કઇડા, ઇમરાન સુમરા, મંગલભાઈ નકુમ સહિતના આગેવાનો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



