સુનવણી દરમિયાન કેજરીવાલનું શુગર લેવલ ઘટતા તબિયત લથડી
દિલ્હીના મુખ્યમંત્રીની તબિયત લથડતા સુનાવણી રોકીને કોર્ટ રૂમની બહાર ચા-નાસ્તા માટે લઈ જવાયા
- Advertisement -
CBIએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આજે સવારે તેને તિહાર જેલમાંથી રાઉઝ એવન્યુ કોર્ટ લઈ ગઈ હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, ED બાદ હવે CBIએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં તિહાર જેલમાં બંધ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. CBI કેજરીવાલ પર તેની પકડ વધુ કડક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેઓ પહેલાથી જ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. CBI આ કેસમાં આજે દિલ્હીના સીએમની ધરપકડ કરી છે. મંગળવારે કેજરીવાલની સીબીઆઈ દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
- Advertisement -
જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દારૂ નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલને જામીન આપવાના નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. કેજરીવાલના જામીન સામે EDએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જજ સુધીર કુમારે કહ્યું કે ટ્રાયલ કોર્ટ ED દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની યોગ્ય રીતે કદર કરવામાં નિષ્ફળ રહી અને આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજીનો નિર્ણય કરતી વખતે શાંતિનો ઉપયોગ કર્યો ન હતો. હાઈકોર્ટે કહ્યું કે જામીનના આદેશ અંગે EDના વાંધાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે, એટલા માટે હાલ સ્ટે મૂકવામાં આવ્યો છે.
CBIની આ કાર્યવાહી પર આમ આદમી પાર્ટીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે એવા સમયે જ્યારે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની સંભાવના છે, ત્યારે મને વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ નકલી CBI કેસ નોંધશે અને તેમની ધરપકડ કરશે, એવું કાવતરું કરી રહ્યું છે.