કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થયો છે. સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી કે શશી થરુરના ચૂંટણી લડવાના અભરખાં જાગ્યાં છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરી વાર અધ્યક્ષની ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને સિનયિર નેતાઓનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કર્યો છે.
જે પણ અધ્યક્ષ બનશે તે એક વિચારધારાનું પ્રતિનિધિત્વ કરશે
રાહુલ ગાંધીએ કહ્યું કે જે કોઈ પણ કોંગ્રેસ અધ્યક્ષ બને, તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક વિશ્વાસ પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક વિચારધારા છે અને વિચારધારાનું વહન નવા અધ્યક્ષે કરવું પડશે.
- Advertisement -
Kerala | What we had decided in Udaipur (One Person, One Post) is a commitment of Congress & I expect that commitment will be maintained (on party's presidential post), said Congress MP Rahul Gandhi pic.twitter.com/fyyeCk147h
— ANI (@ANI) September 22, 2022
- Advertisement -
એક વ્યક્તિ, એક હોદ્દો કોંગ્રેસની પ્રતિબદ્ધતા
રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદયપુરની ચિંતન શિબિરમાં અમે (એક વ્યક્તિ, એક હોદ્દો) જે ઠરાવ કર્યો હતો કે કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે અને મને આશા છે કે અધ્યક્ષની ચૂંટણીમાં પણ આ પ્રતિબદ્ધતા જાળવી રાખવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ એક વૈચારિક હોદ્દો છે- રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યુ કે મેં ગત વખતે પણ સ્પષ્ટ કરી દીધુ હતુ. હું હજી પણ મારા અગાઉના વલણ પર કાયમ છું. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું પદ ઐતિહાસિક પદ છે. તમે આ ઐતિહાસિક સ્થિતિમાં જઈ રહ્યા છો. તે ભારતના એક વિશિષ્ટ દ્રષ્ટિકોણને વ્યાખ્યાયિત કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ એક વૈચારિક પદ છે. તમે (કોંગ્રેસ અધ્યક્ષ) વિચારોના સમૂહનું પ્રતિનિધિત્વ કરો છો. હું માનું છું કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બને તે કોંગ્રેસની આ માન્યતા પ્રણાલી અને વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે.
Congress issues notification for party president elections
Read @ANI Story | https://t.co/eHaP3o79ak#CongressPresidentPolls #Congress pic.twitter.com/FallSRcFoJ
— ANI Digital (@ani_digital) September 22, 2022
યાત્રા કેટલાક વિચારો પર આધારિત- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે આ યાત્રાની સફળતા કેટલાક વિચારો પર આધારિત છે. પહેલો વિચાર એ છે કે ભારત અખંડ ઊભું છે, પોતાની જાત સાથે યુદ્ધ નથી કરતું, પોતાનાથી ક્રોધિત નથી, ધિક્કારથી ભરેલું નથી. તેમણે કહ્યું હતું કે, અન્ય બે વિચારો છે, જે આ યાત્રાને આગળ વધારી રહ્યા છે. એક તો બેરોજગારીનું એ સ્તર છે જેનો ભારત આજે સામનો કરી રહ્યું છે. બીજો મુદ્દો ભાવનો છે. આ એવા વિચારો છે જે મુસાફરીને આગળ ધપાવી રહ્યા છે અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ વિચારો એકબીજા સાથે જોડાયેલા છે.
यात्रा की सफलता कुछ विचारों पर आधारित है। पहला विचार यह है कि एक भारत अखंड खड़ा है, अपने आप से युद्ध में नहीं है, अपनों से नाराज़ नहीं है, नफरत से भरा नहीं है। यह(यात्रा) कुछ ऐसा है जिसकी अधिकांश भारतीय लोग सराहना करते हैं और पसंद करते हैं: कांग्रेस सांसद राहुल गांधी pic.twitter.com/jPSWaznuB4
— ANI_HindiNews (@AHindinews) September 22, 2022
અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી અને શશી થરુરે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી અને શશી થરુરે અધ્યક્ષની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે.