ખાસ-ખબર સંવાદદાતા
લમ્પી વાયરરસનો કહેર રાજ્યના 106 ગામોમાં જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસના કારણે 40 પશુઓના મોત થયા છે. લમ્પી વાયરસ અટકાવવા માટે પશુપાલન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર સજજ બન્યું છે. આ અંગે વધુમાં જાણકારી આપતા કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, રોગચાળાનું સંક્રમણ અટકાવવા રસીકરણની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં રસીકરણની 65 ટકા કામગીરી થવા પામી છે. અને 2.14 લાખનું રસીકરણ થયું છે. તથા જિલ્લામાં 3,80,000 પશુઓ છે. જેમાંથી 65 ટકા જેટલું રસીકરણ થયું છે અને વધુ રસીકરણની કામગીરી ઝડપી બને તે માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. અત્યાર સુધીમાં હોટલ 40 પશુઓના મોત અને 3,246 પશુઓ સંક્રમિત થયા છે તથા 2,156 પશુઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
65% જેટલાં પશુઓનું રસીકરણ: લમ્પી વાયરસ અટકાવવા વહીવટી તંત્ર સજજ
