શિક્ષણ, હેલ્થકેર અને સ્કિલ ડેવલપમેન્ટ થકી લાખો લોકોને લાભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
વિકસીત ભારતની યાત્રામાં અદાણી ફાઉન્ડેશન આશાના કિરણ સમાન બની ગયું છે. દેશના 19 રાજ્યોમાં 6,769 ગામડાંઓના 91 લાખ લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ દ્વારા તેમણે સમાજીક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. જનસામાન્યના સશક્તિકરણની પ્રત્યેક કહાની સામાજીક વિકાસની અનોખી યાત્રા છે. શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને હેલ્થકેર ક્ષેત્રમાં અદાણી ફાઉન્ડેશને ઉત્તમ અને ઉમદા કાર્યો કરી આગવી ઓળખ ઉભી કરી છે. સૌ પ્રથમ વાત પાયાના શિક્ષણની કરીએ તો, અદાણી ફાઉન્ડેશનની 35 શાળાઓમાં 1.5 લાખ વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણવત્તાવાળું, મૂલ્ય આધારિત શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર ઓપરેશનલ ફૂટપ્રિન્ટમાં બિહાર અને આસામના ઉમેરા સાથે એક નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચ્યું છે. દેશના 15 રાજ્યોમાં સક્ષમ કેન્દ્રોની કુલ સંખ્યા 40+ પહોંચી ગઈ છે. ’અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ દ્વારા 1.69 લાખ યુવાઓ કારગત કૌશલ્યો સાથે સક્ષમ બન્યા છે. સ્વ/રોજગારી મેળવી તેમણે ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે. સરકારી શાળાઓમાં પરિણામોને સુધારવા શરૂ કરવામાં આવેલા એક પ્રમુખ શૈક્ષણિક કાર્યક્રમ ઉત્થાન દ્વારા ઉત્થાન સહાયકો શૈક્ષણિક સેવાઓ પૂરી પાડે છે. ફાઉન્ડેશન દ્વારા નિમણૂંક પામેલા 170 સહાયકોએ નાણાંકીય વર્ષ 2023-24માં 254 સરકારી શાળાઓને આવરી લીધી, જેમાં પાંચ રાજ્યોના 38,000 બાળકોનો સમાવેશ થાય છે. આપણી શાળાઓને વધુ મજબૂત કરવા શિક્ષકોમાં સ્કીલ ડેવલપમેન્ટ ખાસ જરૂરી છે. આ દિશામાં આગળ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન, સિંગાપોર સાથેના સહયોગે છમાંથી ત્રણ તબક્કા પૂર્ણ કર્યા છે. શાળાઓના 42 શિક્ષકો જઝઊખ શિક્ષણમાં તેમની નેતૃત્વ કૌશલ્યનું સન્માન કરી રહ્યા છે. નાબ ફાઉન્ડેશન અને અદાણી ફાઉન્ડેશન સમગ્ર દેશમાં સામાજિક વિકાસ પ્રોજેક્ટ્સના સહ-નિર્માણ માટે સાથે કામ કરી રહ્યા છે.
- Advertisement -
દિવ્યાંગોના આંતરરાષ્ટ્રીય દિવસ (3 ડિસે.) પહેલા અદાણી ફાઉન્ડેશને મુંદ્રા અને તેની આસપાસની 20 અન્ય કંપનીઓ સાથે જોડાઈને 111 દિવ્યાંગોને રોજગારીની તકો પૂરી પાડી હતી. ખેડૂતો અને ખેતીના ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશને અનેક ઉમદા કાર્યો કર્યા છે. જેમાં ગૌ-આધારિત ખેતી અને જળસંય, જળવ્યવસ્થાપન વગેરેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ગોંદિયા જિલ્લાના તિરોરા બ્લોકનો ડેરી વિકાસ પ્રોજેક્ટ ખેડૂતોના જીવનસ્તર ઉંચુ લાવવાના અનોખા પ્રયાસની ગાથા છે. તે 2,000 ખેડૂતોને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને માર્કેટિંગની સુવિધા પૂરી પાડે છે. મહિલાઓ દ્વારા સંચાલિત 45 દૂધ સંગ્રહ કેન્દ્રો, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ., ગોધરાને દૂધ સપ્લાય કરે છે. વર્ષ 2023-24માં ખેડૂતોએ ડેરીમાં સરેરાશ દર મહિને 2.19 લાખ લિટર દૂધ એકત્રિત કરી રૂ. 1.02 કરોડની કમાણી કરી હતી. હેલ્થકેર ક્ષેત્રમાં કરાયેલી અત્યંત આવશ્યક પહેલ મોબાઈલ હેલ્થકેર યુનિટ્સ અને હેલ્થ કેમ્પ થકી ફાઉન્ડેશન 20 લાખ લોકોને મદદ પહોંચાડાઈ છે. અદાણી ફાઉન્ડેશન અંતરિયાળ ગામોના એવા લોકો સુધી પહોંચ્યું છે
જ્યાં મૂળભૂત તબીબી સેવાઓની પહોંચ નહતી. મહિલાઓ અને બાળકોમાં કૃપોષણ દૂર થાય તે માટે 2018થી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત 500+ સુપોષણ સંગિનીઓ 1,100+ ગામડાઓમાં ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. જેમાં સરકાર સંચાલિત પોષણ કેન્દ્રોમાં કિશોરવયની યુવતીઓ અને કુપોષિત બાળકોને પોષક્ષમ ફૂડ આપવામાં આવે છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 11 રાજ્યોમાં 14 ઈજછ સાઈટ્સ ખાતે મહિલાઓ અને બાળકોમાં (0-5 વર્ષના) કુપોષણ સામે લડવાનો છે. છલ્લા 27 વર્ષોથી અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં ટકાઉ સામાજિક ઉત્થાન માટે બાળકો, મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નાણાકીય વર્ષ 2023-2 તેમાં સીમાચિહ્નરૂપ પરિણામો હાંસલ થયા છે. મહિલાઓ અને બાળકોમાં કુપોષણ અને એનિમિયાને દૂર કરવા માટેની સુપોષણ યોજનાથી 4 લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે. તેનો હેતુ ભવિષ્યની પેઢીઓ માટે સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.