ગૌ સેવકોને હાલ એનિમલ હેલ્પલાઈન સેન્ટર ખાતે સારવાર માટે ખસેડાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના શાપર-વેરાવળમાં સાત જેટલા આખલા પર અજાણ્યા તત્વો દ્વારા એસિડ નખાતા પશુઓને ગંભીર ઈજા પહોંચી છે. દર્દથી કણસતા બંને જાનવરો પર એસિડ એટેકની જાણ થતાં સ્થાનિક રહીશો તથા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. ગૌસેવકોને જાણ થતાં તેઓએ જાનવરોની સારવાર માટે પાંજરાપોળ મોકલી દીધી છે ગૌ સેવકોએ પોલીસને ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી છે. શાપર વેરાવળમાં શનિવારે પહેલા કોઈ અજાણ્યા તત્વો દ્વારા સાત જેટલા આંખલા પર એસિડ એટેક કરાયો હતો. જ્વલનશીલ એસિડના કારણે ત્રણેય મુકજાનવરોના શરીરની ચામડી ઉખડી જતા તેઓ દર્દથી કણસતા ફરી રહ્યા હતા.
- Advertisement -
જેની જાણ ગૌ સેવકોને થતા સાત જેટલા આખલાને એનિમલ હેલ્પલાઈન સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે મુદ્દે શાપર પોલીસ સ્ટેશન ખાતે ગૌ સેવકો દ્વારા આવારાતત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.