ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ ગીરનાર દરવાજ ગનેશનગર પાસે આવેલ મામાદેવ મંદિર પાસથી કોઈ અજાણ્યો ઈસમ ઘોડી (અશ્વ) ચોરી કરી થઇ હોવાની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારે પીઆઇ બી.બી.કોળી અને પોલીસ સ્ટાફ દ્વારા ગણતરીની કલાકમાં આરોપીને ઘોડી સાથે ઝડપી પાડવામાં આવ્યો.
પોલીસ પ્રાપ્ત વિગત પ્રમાણે શહેરના ગણેશનગર વિસ્તારમાંથી એક એક ઘોડી જેની કિંમત રૂ.60,000ની અશ્વની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી તા.9 નારોજ ઘોડીની ચોરી થયા બાદ તુરંત પોલીસ પેટ્રોલિંગમાં હતી એ સમયે ગિરનાર દરવાજા સહીતના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપી નવજયભાઇ જીવાભાઇ લડખડીય રહે. ખામધ્રોળ રોડ જુનાગઢ વાળા ઈસમને બીલખા રોડ પી.ટી.સી.વિસ્તારમાં આંટાફેરા મારતા હોવાનું સામે તુરંત આરોપીને ઘોડી જેની કિમંત રૂ.60,000 સાથે ઝડપી પાડીને પોલીસે ધોરણસર કાર્યવાહી કરી હતી.