ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર થોરોળા પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનાર ઈસમને પકડી પાડી અને રીવોલ્વોર અને કાર્ટીસ મળી આવેલ જે અંગેનો કેસ જે અંગે નો કેસ ચાલી જતા આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો અદાલત દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
- Advertisement -
આ બનાવની વિગત એવી છે કે રાજકોટ થોરાળાના પી.એસ.આઈ. પી.એમ.ત્રીવેદી ને ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે રાજકોટ આજી વસાહત શેરી નં. 27/28 ના ખુણે રવિભાઈ ભીખુભાઈ ગીડા ઉભેલ છે જેની પાસે ગેરકાયદેસર હથીયાર છે અને તે ઉપરોકત જગ્યાએ હાજર છે જેથી થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા પી.એસ.આઈ. તાત્કાલીક બનાવવાળી જગ્યાએ પહોંચી રવી ભીખુભાઈ ગીડાને કોર્ડન કરી લીધેલ અને પોલીસ દ્વારા પંચોને બોલાવી આ ઈસમની પંચોની રૂબરૂ અંગ જડતી કરતા તેના નેફા માંથી દેશી બનાવટની રીવોલ્વોર કવર સહિત મળી આવેલ અને 2 નંગ જીવતા કાર્ટીસ મળી આવેલ જે હથીયારનો પરવાનો પોલીસે માંગતા આરોપી પાસે કોઈ પરમાનો ન હોવાનુ જણાવતા પોલીસે આ રીવોલ્વોર તથા કાર્ટીસ કબજે કરી સીલ કરેલ અને આરોપીને આ હથીયાર અંગે પુછપરછ કરતા તેમણે આ રીવોલ્વોર તેના ભાઈ પ્રદિપભાઈ ભીખુભાઈ ગીડાએ આપેલ હોવાનુ જણાવેલ જે હકીકત તપાસમાં ખુલતા પોલીસે 2વી ભીખુભાઈ ગીડા વિરૂધ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં આમર્સ એકટનો ગુનો નોંધી ને આરોપીની ધરપકડ કરેલ અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ.
જે અંગેનો કેસ કોર્ટમાં ચાલેલ આ કેસના આરોપી રવી ભીખુભાઈ ગીડા વતી એડવોકેટ તરીકે વિજય બી. પટગીર રોકાયેલ હતા આ કેસમાં કુલ 10 સાહેદો ને તપાસવામાં આવેલ તેમજ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ આરોપીના એડવોકેટની મુખ્ય દલીલ એવી હતી કે પોલીસે રેડ ખોટી રીતે પ્લાન કરી આરોપીને આ ગુનામાં સંડોવી દીધેલ છે જે જગ્યાએ રેડ કરવામાં આવેલ તેની આજુબાજુના સ્થાનીક લોકોના નીવેદનો લીધેલ નથી પંચનામું કઈ જગ્યાએ તૈયાર કરવામાં આવેલ તે સ્પષ્ટ રીતે રેકર્ડ ઉપર આવેલ નથી આર્મસ એકટના કેસમાં કમીશ્નરની મંજુરી લેવાની જોગવાઈ હોવા છતા આવી કોઈ મંજુરી તપાસનીશ અધીકારી દ્વારા મેળવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવેલ નથી. આર્મસ એકટની કોઈપણ જોગવાઈ નો ભંગ થાય તેનો લાભ આરોપીઓને આપવો પડે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓની વીસદ છણાવટ કરેલ બચાવ પક્ષના એડવોકેટની દલીલોને ગ્રાહય રાખી આરોપીને નામદાર અદાલત દ્વારા નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ. આ કેસમાં આરોપી રવી ભીખુભાઈ ગીડા વતી એડવોકેટ તરીકે પિયુષભાઈ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા, હર્ષીલ શાહ, જીતેન્દ્ર ધુળકોટીયા, ચીરાગ શાહ, વીજય બી.પટગીર રોકાયેલ હતા