ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર રહેતા હરેશભાઈ નરશીભાઈ રામણી દ્વારા રાજકોટ શહેરમા જ રહેતા કારખાનેદાર અશોકભાઇ કે. શિંગાળા વિરુદ્ધ રાજકોટની નામદાર કોર્ટમાં ચેક પરત ફર્યા અંગેની ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદ ચાલી જતાં રાજકોટના મહે. 17મા એડી. ચીફ જ્યુડિ. મેજિસ્ટ્રેટ સદરહુ ફરિયાદમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ ફરમાવેલ છે.ફરિયાદીએ દાખલ કરેલ ફરિયાદોની ટૂંકી હકીકત એ પ્રકારની છે કે, આરોપી અશોકભાઈ શિંગાળા રાજકોટમાં હરીક્રીશ્ના આર્ટ નાં નામે કારખાનું ધરાવે છે જયારે ફરિયાદીના માસા હીરાભાઈ લીંબાણીનો પુત્ર દિલીપ ઉર્ફે બીપીન ત્યાં કામકાજ કરતો હોય જેથી આરોપી ફરિયાદીના સંપર્કમાં આવેલ અને આરોપીને નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા આરોપીએ ફરિયાદી પાસે બે કટકે રૂપિયા પાંચ લાખ હાથ ઉછીના લીધેલ છે. ત્યારબાદ ફરિયાદીએ અ રકમ પરત માંગતા આરોપીએ તેમની આઈ.સી.આઈ.સી. બેંક ભક્તિનગર શાખા, રાજકોટના પોતાના બચત ખાતાનો ચેક ફરિયાદીને ચૂકવણા પેટે આપેલ અને ચેક બેંકમાં રજુ કર્યે રકમ મળી જશે તેવો પાકો વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ જેથી ફરિયાદીએ સદર ચેક બેંકમાં રજુ કરતા અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફરેલ. જેથી ફરિયાદીએ આરોપીને ચેકની લેણી રકમની ડીમાંડ કરતી નોટીસ તેઓના વકીલ મારફત આઓપીને મોકલાવેલ જેનો આરોપી દ્વારા તેઓના વકીલ મારફત જાવાબ પાઠવવામાં આવેલ પરંતુ ચેક મુજબની રકમ આરોપી દ્વારા ફરિયાદીને ચૂકવેલ ન હોય આરોપીએ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 તથા કલમ-142 અન્વયે ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોય તે મુજબની ફરિયાદ રાજકોટની અદાલતમા દાખલ કરેલ.આરોપીએ પોતાની સામેના કેસમાં એ મતલબનો બચાવ લીધેલ કે આરોપી તદ્દન નિર્દોષ છે. આરોપીએ ફરિયાદી પાસેથી કહેવાતી આવી કોઈ રકમ લીધેલ નથી.
- Advertisement -
તેમજ આરોપીએ ફરિયાદીને તેઓની લેણી રકમ ચૂકવવા માટે આવી કોઈ રકમનો ચેક ફરિયાદીને આપેલ નથી ખરી હકીકતે ફરિયાદીના પિતા નરશિભાઈ રામાણી પાસેથી આરોપીએ ઊંચા વ્યાજે નાણા લીધેલ હોય તે સમયે નરશીભાઈએ આરોપી પાસેથી સિક્યુરીટી પેટે 10- કોરા ચેક લીધેલ હોય તે પૈકીના આરોપીના સિક્યુરિટી પેટેના કોરા, તારીખ વગરના ચેકનો દૂરઉપિયોગ કરી તદન ખોટી હકીકતો વાળી ફરિયાદ કરેલ છે. આમ આરોપી તદન નિર્દોષ છે.
નામદાર અદાલત સમક્ષ કેસ ચાલી જતાં ફરિયાદી-આરોપી તરફે રજૂ થયેલ મૌખિક તેમજ લેખિત પુરાવો તથા આરોપીના વકીલ સમીર જોશી દ્વારા થયેલ ફરિયાદીની વિસ્તૃત ઊલટ તપાસ તેમજ બંને પક્ષે થયેલ લેખિત-મૌખિક રજૂઆતો, ટાંકવામાં આવેલ કાયદાકીય આધારો તથા નામદાર ઉચ્ચ અદલતો તેમજ નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકદાઓને ધ્યાને લઈ નામદાર અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, ફરિયાદીની ઊલટતપાસ જોતાં તેમજ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ જોતાં ફરિયાદીને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 118 તથા કલમ- 139 મુજબના અનુમાનનો લાભ મળતો નથી ખરેખર ફરિયાદીએ તેની ફરિયાદ હકીકતમાં જણાવેલ લેણા પેટે ચેક આપવામાં આવેલ છે તે હકીકત ફરિયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી અને આરોપીપક્ષ સદરહુ ચેક કાયદેસરના લેણા પેટેનો ન હોય તેનો પોતાનો બચાવ તેમણે રજુ કરેલા પુરાવાથી સંતોષકારક રીતે રજુ કરી તથા કેસના સંજોગો દર્શાવી ફરિયાદપક્ષનું વર્ઝન અને લીગલ ડીમાન્ડ નોટીસ કાયદેસરના લેણા પેટેની ન હોય તેવું ક્ધફ્યુઝીવ્લી એસ્ટાબ્લીસ કરતા હોય અને ફરિયાદી બિયોન્ડ રીઝનેબલ ડાઉટ કાયદેસરના લેણા પેટેના ચેક હોય તે સાબિત કરી શક્યા ન હોય આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહિ તેવા મંતવ્ય પર આવી રાજકોટના નામદાર 17મા એડી. ચીફ જ્યુ. મેજી. દ્વારા ઉપરોક્ત કેસમા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે આ કામમાં આરોપી વતી એડ્ડોકેટ તરીકે સમીર એચ. જોશી, યોગેશ આર. બારોટ, નિશાંત એમ. જોશી, પરેશ આર. ત્રિવેદી, તથા ભવદીપ આર. દવે રોકાયેલ હતા.