દેશમાં 68 ટકા લોકોએ ટમેટાંનો વપરાશ ઘટાડયો
ખાસ-ખબર સંવાદદાતા
ટમેટાંના ભાવમાં ભારે વધારા પછી લોકોનાં ખિસ્સાં પર મોટો માર પડ્યો છે. સરકાર કેટલીક જગ્યાઓએ રાહત દરે ટમેટાં વેચી રહી છે, પણ શાક માર્કેટમાં ટમેટાંના ભાવમાં કોઈ ફરક જણાતો નથી. આ બધાની વચ્ચે એક રસપ્રદ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા 68 ટકા લોકોએ વપરાશમાં ઘટાડો કર્યો છે, જયારે 14 ટકા લોકોએ ઉપયોગ સદંતર બંધ કરી દીધો છે.
- Advertisement -
સર્વે કરવામાં આવેલા 87 ટકા લોકોએ ક્ધફર્મ કર્યું છે કે હાલ ટમેટાંની લેટેસ્ટ ખરીદી માટે તેઓ પ્રતિ કિલો 100 રૂપિયા વધારે ચૂકવી રહ્યા છે, જયારે ગ્રામીણ વિસ્તારો અથવા જયાં ટમેટાંનો પાક લેવામાં આવે છે એવા વિસ્તારોના માત્ર 13 ટકા લોકો જ 100 રૂપિયા કરતાં ઓછી કિંમત ચૂકવી રહ્યા છે.
આ સર્વે કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રતિ કિલો 100 રૂપિયાથી વધુ કિંમત ચૂકવનારા લોકોની ટકાવારીમાં ખૂબ વધારો થયો
અગાઉના સર્વે સાથેનો તુલનાત્મક અભ્યાસ દર્શાવે છે કે 27 જૂને 18 ટકા પરિવારો ટમેટાં માટે 100 રૂપિયા કરતાં વધારે ભાવ ચૂકવી રહ્યા હતા, તેમની ટકાવારી 14 જુલાઈ સુધીમાં વધી છે અને આ ટકાવારી 87 ટકા થઈ ગઈ છે. મર્યાદિત પુરવઠાના કારણે સારાં ટમેટાં નીચા ભાવે દુષ્કર થઈ ગયાં છે. મોટા ભાગના પરિવારો પોતાના કિચન બજેટ પ્રમાણે ખર્ચા કરવાનું પસંદ કરે છે. આ જોતાં સર્વેમાં આવા વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું કે તમે ટમેટાંના વધેલા ભાવનો કેવી રીતે સામનો કરી રહ્યા છો? નોંધપાત્ર છે કે અનેક વિસ્તારોમાં ટમેટાંના ભાવ 200 રૂપિયા કરતાં પણ વધુ છે.