ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કાર્યલય ખાતેથી મૌન રેલી યોજી ડો.અતુલ ચગના પરિવારને ન્યાય મળે અને પોલીસ તેમની ફરિયાદ લઈ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.આ તકે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ જગમાલભાઈ વાળા, જિલ્લા પ્રમુખ રામભાઇ વાજા, શહેર પ્રમુખ મનીષભાઈ વાયલુની આગેવાની હેઠળ મીડિયા ઇન્ચાર્જ મેઘજીભાઈ ચાવડા અને જિલ્લા તેમજ તાલુકાના કાર્યકરો બહોળી સંખ્યામાં આ મૌન રેલીમાં જોડાયા હતા.ખાસ કરીને મૌન રેલી હોવાથી તમામ કાર્યકરોએ હાથમાં ડો.અતુલ ચગના પરિવાર સાથે છું ઋઈંછ નોંધવા વિનંતી સુસાઈડ નોટમાં સાંસદનું નામ છે એટલે તંત્ર ઋઈંછ નથી લેતું 156ની સરકારમાં ન્યાય નથી મળતો તેવા સૂત્રોચ્ચાર સાથેના બેનરો પોતાના હાથમાં રાખી પરિવારના સમર્થનમાં રેલી યોજી પ્રાંત અધિકારી મારફત જિલ્લા કલેકટરને આવેદન આપી યોગ્ય કરવા અને પરિવારને ન્યાય અપાવવા રજૂઆત કરવામાં આવી હતી.
ડૉ.અતુલ ચગનાં પરિવારજનોની FIR નોંધી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી સાથે AAPનું આવેદન
