જલંધરના ગુરુદ્વારામાંથી બહાર આવતાં જ માથા-છાતી પર 6 ગોળી ધરબી, ટાર્ગેટ કિલિંગની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ જલંધર
- Advertisement -
પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટીના નેતા લક્કી ઓબેરોયની 6 ફેબ્રુઆરીની સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. તેઓ 52 વર્ષના હતા. સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ તેમને 6 ગોળી મારી. 5 છાતીમાં અને એક ગોળી માથામાં વાગી.
લક્કી ઓબેરોય મોડલ ટાઉન વિસ્તારમાં ગુરુદ્વારામાં માથું ટેકવવા આવ્યા હતા. જેવા તેઓ ગુરુદ્વારામાંથી નીકળીને પોતાની થાર ગાડીમાં બેસવા લાગ્યા ત્યારે બદમાશોએ તેમના પર આડેધડ ગોળીબાર કર્યો.
પરિવારજનો તેમને ગંભીર હાલતમાં મોડલ ટાઉનની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિવારને વિશ્ર્વાસ ન થયો, તેથી તેઓ તેમને શહેરની શ્રીરામ હોસ્પિટલમાં લઈ ગયા. અહીં પણ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
એડીસીપી જયંત પરીએ જણાવ્યું હતું કે પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. હુમલાખોરોની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને ટાર્ગેટ કિલિંગની શંકા છે.
ઓબેરોય આમ આદમી પાર્ટી (અઅઙ)માંથી જલંધર કેન્ટ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ હતા. હુમલાખોરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે શેરુ ગ્રુપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, લક્કી ઓબેરોય સવારે 7:15 વાગ્યે પોશ વિસ્તાર મોડલ ટાઉનના ગુરુદ્વારામાં માથું ટેકવવા આવ્યા હતા. તેઓ નિયમિતપણે ગુરુદ્વારામાં આવતા હતા. ગુરુદ્વારામાં માથું ટેકવ્યા પછી તેઓ બહાર નીકળ્યા અને ઘરે જવા માટે થારમાં બેસી ગયા. આ દરમિયાન એક્ટિવા પર સવાર હુમલાખોરો ત્યાં પહોંચી ગયા. તેઓ થાર લઈને જાય એ પહેલાં જ થાર પર ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો. જેના કારણે થારના કાચ તૂટી ગયા. આ પછી હુમલાખોરોએ સીધા લક્કી ઓબેરોય પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમની છાતી અને ચહેરા પર ગોળીઓ વાગી. જ્યારે લક્કી ઓબેરોય ગંભીર રીતે ઘાયલ થઈને સીટ પર ઢળી પડ્યા, ત્યારે હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા.
લક્કીની રેકી કરી રહ્યા હતા હુમલાખોરો
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અઅઙ નેતા લક્કી ઓબેરોયની હત્યા સંપૂર્ણ રેકી કર્યા પછી કરવામાં આવી હતી. હુમલાખોરોએ પહેલા જાણ્યું કે લક્કી દરરોજ સવારે 7 વાગ્યાની આસપાસ ગુરુદ્વારા આવે છે. હુમલાખોરોને તેમની થાર વિશે પણ ખબર હતી. તેથી તેઓ લક્કી ઓબેરોયનો પીછો કરતા ત્યાં પહોંચ્યા. જ્યારે લક્કી ઓબેરોય ગુરુદ્વારાની અંદર ગયા, ત્યારે તેઓ બહાર તેમની રાહ જોવા લાગ્યા.
- Advertisement -
બહાર નીકળીને ભાગી ન શકે, તેથી થારમાં બેસવાની રાહ જોઈ
પોલીસ તપાસ મુજબ, હુમલાખોરોએ ગુરુદ્વારામાંથી બહાર આવ્યા પછી લક્કીના થારમાં બેસવાની રાહ જોઈ. એેનું કારણ એ હતું કે જો તેઓ બહાર ફાયરિંગ કરતા, તો લક્કી ભાગીને ગુરુદ્વારાની અંદર અથવા આસપાસ કોઈ અન્ય જગ્યાએ જઈ શકતા હતા, પરંતુ જ્યારે તેઓ થારની અંદર બેસી ગયા, ત્યારે તેમને ત્યાંથી નીકળીને ભાગવાની તક મળી નહીં. આ જ કારણ હતું કે હુમલાખોરો તેમની હત્યા કરવામાં સફળ રહ્યા.



