ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમજ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા, સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાના નામ પણ સામેલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને આમ આદમી પાર્ટીએ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. 20 નેતાઓની આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાના નામ પણ સામેલ છે. ગુજરાત ચૂંટણી પ્રચારમાં ભગવંત માનની સાથે પાર્ટીએ દિલ્હીની સાથે પંજાબના નેતાઓ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે બે મહિલા નેતાઓને પણ સામેલ કર્યા છે.
- Advertisement -
આ સાથે ક્રિકેટર અને પંજાબના રાજયસભા સાંસદ હરભજન સિંહને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ઉપરાંત મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજ જાડેજાનો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સાથે, આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારકોમાં પંજાબ સરકારની બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગન માનના નામનો પણ સમાવેશ કર્યો છે.
આ ઉપરાંત જગમાલ વાલા, રાજુ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બૈદાણીયા, અજીત લોકિલ, રાકેશ હીરાપરાનો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.