અયોધ્યા ચોકડી પાસે ગ્રાઉન્ડમાં ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય, ત્રીજા નોરતે મહાનુભાવો ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ ગરબા રાસોત્સવમાં રોજેરોજ પ્રાચીન અને અર્વાચીન ગરબાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે.
અયોધ્યા ચોકડી પાસેના નયનરમ્ય સેન્ટર ગાર્ડન ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા આ રાસોત્સવમાં સંગીતના સૂર અને તાલના સંગમ પર હજારો ખેલૈયાઓ માતાજીની આરાધના કરી રહ્યા છે. આ ભક્તિમય માહોલ નિહાળવા મોટી સંખ્યામાં મહાનુભાવો અને શહેરીજનો ઉમટી રહ્યા છે. રાસોત્સવના ત્રીજા નોરતે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. જેમાં દિલીપભાઈ શેઠ, શેઠ બિલ્ડર, મુકેશભાઈ દોશી અને વૈશાલીબેન દોશી (મોડર્ન ગ્રુપ), પોલીસ ઇન્સ્પેક્ટર સેજલબેન મેઘાણી, ડો. સાગર અને ડો. સીમા ઘોડાસરા (ગિરિરાજ હોસ્પિટલ), શ્રીમતી પૂજાબેન કેતનભાઈ ધ્રુવ, આદેશ ટ્રાવેલ્સના મનોજ અનળકટ, પંકજ ડેલાવાલા, જૈન યુવા ગ્રુપના યોગેશભાઈ શાહ અને અમિતભાઈ કોરડીયા, જૈન અગ્રણી ગૌરવ દોશી, તથા નયનાબેન દોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિજેતા ખેલૈયાઓને ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
વિશ્વ વણિક સંગઠનના ચંદ્રકાન્તભાઈ શેઠ અને જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે આયોજનમાં શ્રેષ્ઠ વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ રાસોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ જીલ એન્ટરટેનમેન્ટ, બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, તુષાર ત્રિવેદી, ગાર્ગી વોરા અને ઢાકેચા બ્રધર્સનું ઓર્કેસ્ટ્રા ધમાલ મચાવી રહ્યા છે.
આ ઉપરાંત, 100000 વોટની અદભુત સાઉન્ડ સિસ્ટમ, થ્રી-લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી સ્ક્રીન પર પ્રસારણ, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણ પારિવારિક માહોલ એ આ રાસોત્સવની વિશેષતા છે. ખેલૈયાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે વેદાંત હોસ્પિટલના ડો. પારસ શાહ અને તેમની ટીમ સતત ખડેપગે સેવા આપી રહી છે.
આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા માટે વિશ્વ વણિક સામાજિક સંગઠનના ચેરમેન સી.એમ. શેઠ, ટીમ જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી, જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી સહિત અનેક આગેવાનો અને સ્વયંસેવકો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમના સામૂહિક પ્રયાસોથી આ રાસોત્સવ ભક્તિ, શક્તિ અને આનંદનો અનોખો અનુભવ બની રહ્યો છે.



