‘પૈસા લઈને આવજે નહીંતર તને છુટાછેડા આપી દઈશ તારી અને બાળકોની મારે જરૂર નથી’
ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકતા બાળકો સાથે માવતરમાં લીધો આશરો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કોઠારીયા રોડ ઉપર ગોકુલનગરમાં રહેતા અને સુરત સાસરિયું ધરાવતા અંજુમબેન ઉ.39એ સુરત રહેતા તબીબ પતિ રઝાક, સસરા ભીખુભાઇ, સાસુ શરીફાબેન, આણંદ રહેતા જેઠ જુબેર અને નણંદ બેનઝીરબેન સામે શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ માંગવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન 2013માં થયા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે. લગ્નનાં પખવાડિયા પછી પતિને ડોક્ટરની માસ્ટર ડિગ્રી માટે અલીગઢ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જતાં તે ત્યાં જતો રહ્યો હતો. પાછળથી સાસરીયાઓ તેને કરયાવર ઓછો લાવી છો કહીં મેણાં ટોણાં મારતાં હતા. એટલું જ નહીં અમારે તો રઝાકને ભણવા માટે ઘણો ખર્ચ થયો છે તે પ્રમાણે તારા પિયરવાળાએ કોઇ દહેજ આપ્યો નથી અમને તો રઝાકની ઘણી સારા ઘરની છોકરીઓ મળતી હતી છતાં મારા દીકરાએ તારી સાથે લગ્ન કર્યા છે. તેમ કહેતાં હતા તેને પ્રેગ્નેન્સી રહી હતી. પરંતુ સાસરીયાનાં ત્રાસનાં કારણે મીસકેજ થઈ ગયું હતું. તે પતિને કહેતી તો તે સાસરિયાઓનું ઉપરાણું લેતો હતો છએક માસ બાદ સાસુએ તારે મારા દિકરા સાથે રહેવાં જવું હોય તો તારા પિતાને કહી દે ત્યા ઘર વખરીનો બધો સામાન લઈ આપે કહેતાં તેને સામાન લઈ આપ્યો હતો. સાત-આઠ દિવસ પછી પતિએ તેના સાસુ સસરાને ત્યાં રહેવા બોલાવી લીધા હતા થોડા સમય બાદ તેને પુત્રીનો જન્મ થયો હતો જે સાસરીયાઓને ગમ્યું ન હતું પતિને રાજસ્થાન બાદ ત્યાંથી સુરતમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં નોકરી મળતાં તે બધાં સુરત રહેવાં આવી ગયા હતા. આ સમયે પતિ અવાર-નવાર તેને પીયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો. ત્યારબાદ તેને પુત્રનો જન્મ થયો હતો. નણંદ અને જેઠ તેના ઘરે આવતાં ત્યારે ચઢામણી કરતાં સાસરીયાઓ ઝઘડો કરી હાથ ચાલાકી કરી લેતાં હતા એટલું જ નહીં પાડોશી અને પીયરવાળા સાથે વાત-ચીત કરવા દેતા નહીં. તે ડોક્ટર હોવા છતાં સાસરીયાઓએ કરીયરમાં આગળ વધવાં દીધી ન હતી તેનાં પતિને સુરતમાં હોસ્પિટલ ચાલુ કરતાં પીયર પાસેથી પૈસાની માગણી કરતાં તેના પિતાએ પર્સનલ લોન અને તેની માતાનાં દાગીના ગીરવે મુકી પૈસા તેના ખાતામાં જમા કરાવ્યા હતા. સાસરીયાઓ ભેગા મળી ત્રાસ આપી ગાળો આપતાં હતા આ બધુ તેના બાળકો જોતા તો તેની અસર તેના બાળકો પર પડતી હતી. જેથી તે ડરી જતાં હતા. બાળકોનાં વેકેશનમાં પીયર જતાં ત્યાં આવેલાં પતિએ મારે દસેક લાખની જરૂર છે તેમ કહેતાં તેને હવે મારા પપ્પા પાસે પૈસા નથી. તેમ કહેતાં પતિએ ઉશ્કેરાઇ ઝઘડો કરી તું પૈસા લઈને આવજે નહીંતર તને છુટાછેડા આપી દઈશ. તારી અને બાળકોની મારે જરૂર નથી કહીંને જતો રહ્યો હતો સાસરીયાઓ જૂનાગઢ આવ્યા ત્યારે પણ પૈસાની માગણી કરી હતી બાળકોનું વેકેશન ખુલતાં તે તેના મમ્મી પપ્પા સાથે સાસરીયામાં જતાં ત્રણેક દિવસ સુધી પૈસા બાબતે ઝઘડો કરી તેને ઘક્કા મારી કાઢી મુકતાં પોલીસ બોલાવી હતી અંતે માવતરે આવી ફરિયાદ નોંધાવી હતી.



