By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દવાઓ પર 200% ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ!
    12 hours ago
    ભારત અમેરિકા પર ટેરિફ ઘટાડવા તૈયાર, પણ હવે મોડું થઈ ગયું છે: ટ્રમ્પનો મોટો દાવો
    13 hours ago
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    17 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    2 days ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    15 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    15 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    16 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    16 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    12 hours ago
    ઑસ્ટ્રેલિયાનાં બોલર મિચેલ સ્ટાર્કની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત
    12 hours ago
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    2 days ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    5 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    16 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    2 days ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    4 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    5 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    15 hours ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    18 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    7 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    7 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    12 hours ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    1 day ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    1 day ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
જુનાગઢ

સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

Khaskhabar Editor
Last updated: 2022/05/28 at 4:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

 

ડૉકટર બનવું હતું, ઘરમાં 250 રૂપિયા ન હતાં આજે કરોડોનાં માલિક

- Advertisement -

ધીરુભાઇએ વિસાવદરમાં અભ્યાસની સાથે પિતાને કડિયા કામમાં મદદ કરી: એક વર્ષ છાપા પણ વેંચ્યા

કહેવાય છે કે, સંઘર્ષ અને કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. આજની યુવા પેઢી માટે કઠોર મહેનતનું શું ફળ મળે તેનું જાગતું ઉદાહરણ જૂનાગઢનાં પૂર્વ મેયર ધીરુભાઇ ગોહેલ છે. ઘરની આર્થીક નબળી પરિસ્થિતીમાં પણ નિરાશ થયા વિના આગળ વધતા રહ્યાં અને આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડર બની ગયા. ખાસ ખબર સાથે આર્થિક સ્થિતિની વાત કરી વખતે પણ તેની આંખો ભીની થઇ ગઇ. તે દર્શાવે છે તે કાળા દિવસો આજે પણ તેવો ભુલી શકયતા નથી. ધીરુભાઇની સંઘર્ષ ગાથા યુવાનોને અને તેમની ઇમાનદારી નેતાઓે માટે પ્રેરણારૂપ છે.

એક સમયે ગીરનાર જેવડો કઠોર પરિશ્રમ કરનાર ધીરુભાઇ ગોહેલે આજે ગીરનાર જેવડી ઉંચાઇ પ્રાપ્ત કરી લીધી છે. જૂનાગઢનાં પૂર્વ મેયર અને બિર્લ્ડર ધીરુભાઇ ગોહેલનું શરૂઆતનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. સામાન્ય પરિવારમાં જન્મેલા અને બાળપણ અને યુવાનીમાં કઠોર પરિશ્રમ એ જ તેમનું જીવન હતું. વિસાવદરમાં નારણભાઇ ગોહેલનાં ઘરે 19 ડિસેમ્બર 1955 જન્મ થયો હતો. વિસાવદરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ. જુની એસએસસીમાં 60 ટકા સાથે ઉર્તિણ થયા.ઇન્જીનીયર કે ડોકટર બનવા માંગતા હતાં. જયારે પરિણામ આવ્યું ત્યારે પિતાજી કડિયા કામ માટે ગયા હતાં. ધીરુભાઇ પરિણામ લઇને પિતાજી પાસે પહોંચ્યા અને કહ્યું કે, હુ પાસ થઇ ગયો. મારે એન્જિનિયર કે ડોકટર બનવું છે. પરંતુ પિતાજીએ કોઇ પણ જવાબ આપ્યો નથી. ધીરુભાઇએ આ વાત બીજી વખત દોહરાવી. પરંતુ પિતાજીનો કોઇ જવાબ ન આવ્યો.ત્યારે સાથે કામ કરનારે કહ્યું નારણભાઇ છોકરાને કેમ જવાબ આપતા નથી ?. ત્યારે પિતાજીએ કહ્યું, ઘરમાં 250 રૂપિયા પણ નથી. અહીંથી ધીરુભાઇ ગોહેલ સીધા વિસાવદર આવ્યા અને છાપાની એજન્સીનાં માલિકને મળી સવારે છાપા વિતરણનો નિર્ણય કરી લીધો.ઉપરાં પિતાજી સાથે કડિયા કામ કરવા જવા લાગ્યા. એક વર્ષ સુધી અખબારનું વિતરણ કર્યુ. આ ઉપરાંત વિસાવદરમાં વેપારીઓનાં નામા લખવાનું કામ પણ કરતા હતાં. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તેમ ધીરુભાઇ રાત દિવસ જોયા વિના મહેનત કરવા લાગ્યા. અનુસંધાન પાના નં. 2 પર

- Advertisement -

અમેરિકા હતા ને વિજયભાઇ રૂપાણીએ ફોન કરી કહ્યું, તમારે ચૂંટણી લડવાની અને મેયર બનવાનું છે

જૂનાગઢ મનપાનાં મેયર તરીકેનો ચાર્જ છોડ્યો ત્યારે મનપાની પેન પણ ખિસ્સામાંથી કાઢી મૂકી દીધી હતી

આ સમયમાં તેનો ભેટો મોહનભાઇ પટેલ(મો.લા.પટેલ) સાથે થયો. મોહનભાઇ પટેલનાં વિચારોથી ધીરુભાઇ પ્રભાવીત થયા. દરેક ક્ષેત્રનાં ગુરુ, માર્ગદર્શક બનાવી લીધાં. 1978માં બાંધકામ ક્ષેત્રમાં જોડાયા.સાથે જ જુદી જુદી સહકારી બેંકમાં જોડાઇ પુન: જીવત કરવાનું કામ કર્યુ. તેમજ આજ અરસામાં મો.લા. પટેલ સાથે રહી ખાદી ગ્રામ ઉદ્યોગમાં જોડાયા અને રચનાત્મક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં જીવનમાં બાંધકામ ક્ષેત્ર ટર્નિગ પોઇન્ટ ત્યારે આવ્યો જયારે 1980માં બસ સ્ટેશન પાસે પ્રથમ જમીનની ખરીદી કરી. અહીં સોસાયટીઓ બનાવી. તેનું નામ મોહનનગર રાખવામાં આવ્યું. 1980 પછી જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રે પાછુ વળીને જોયું નથી. આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડસ બની ગયા છે.

પોતે રાજકારણી માણસ ન હતાં. આરએસએસ,જનસંઘ સાથે નાતો હતો. બાદ ભાજપનાં કામ કરતા હતાં. પરંતુ ચૂંટણી લડવા કયારે માંગતા ન હતા. વર્ષ 2009માં વિજયભાઇ રૂપાણીએ તેમને ચૂંટણી લડવા કહ્યું. ત્યારે ધીરુભાઇએ ના પાડી દીધી હતી. ફરી 2014માં વિજયભાઇ ધીરુભાઇનાં ઘરે આવ્યા અને ચૂંટણી લડવા માટે કહ્યું તેમજ મેયર માટે કહ્યું હતું. ધીરુભાઇ ત્યારે પણ માન્યા ન હતાં. બાદ 2019માં વિજયભાઇ મુખ્ય મંત્રી હતા અને જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીને લઇ બેઠક ચાલતી હતી. મેયરનો ચહેરો કોણ ?.ત્યારે વિજયભાઇએ ધીરુભાઇનું નામ આપ્યું હતું. બાદ વિજયભાઇએ ધીરુભાઇને ફોન કર્યો હતો. આ સમયે ધીરુભાઇ અમેરીકા હતાં. વિજયભાએ કહ્યું કે,તમારે ચૂંટણી લડવાની છે અને તમને મેયર બનાવવામાં આવશે. ત્યારે ધીરુભાઇએ ના પાડી પણ વિજયભાઇ માન્ય નહી. મોહનભાઇની સલાહ લેવાનું કહ્યું તો વિજયભાઇ મોહનભાઇ પટેલની સાથે પણ વાત કરી લીધી હતી. ધીરુભાઇ અમેરીકાથી તાત્કાલીક આવ્યા અને જૂનાગઢ કોર્પોરેટરની ચૂંટણી પ્રથમ વખત લડ્યાં. તેમજ જીત્યા બાદ ધીરુભાઇને મેયર બનાવવામાં આવ્યાં હતાં. અઢી વર્ષ સુધી મેયર રહ્યાં. ત્યારે કોર્પોરેશનની સેવાનો લાભ ન લીધો. જયારે મેયર પદની મુદત પૂર્ણ થઇ ત્યારે ખીસ્સામાં રાખેલી પેન પણ નવા મેયરને આપી દીધી હતી. આગામી ચૂંટણીને લઇને ધીરુભાઇએ કહ્યું કે, ભાજપનો સિક્રય કાર્યકર છું. પાર્ટીનાં આદેશ મુજબ કામ કરી. પરંતુ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતો નથી. કેમ કે હું રાજકારણી નથી. પાર્ટી મારા પર વિશ્ર્વાસ મુકી જે કામ આપશે તે હું કરી.

સાદું જીવન, શિક્ષાપત્રીનાં નિયમ મુજબ ચાલવું, 45 વર્ષથી ખાદી જ પહેરે
જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિરની સેવામાં કાર્યરત રહે છે. 15 વર્ષ સુધી મંદિરનાં ટ્રસ્ટમાં રહ્યાં હતાં. છેલ્લા 40 વર્ષથી દરરોજ સાંજનાં સ્વામીનારાયણ મંદિરે જાય છે. શિક્ષાપત્રીનાં નિમય મુજબ ચાલે છે. સાદુ જીવન જીવે છે.આ ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ સાથે પણ જોડાયેલા છે. શરૂઆતમાં 25 વર્ષ મંત્રી હતી. મોહનભાઇ પટેલનાં નિધન બાદ પ્રમુખ બન્યાં છે. છેલ્લા 45 વર્ષથી ખાદીનાં જ કપડા પહેરે છે. ખાદી ગ્રામોદ્યોગ વર્ષે 5 કરોડનું નર્ટઓવર કરે છે. અનેક લોકોને રોજી આપે છે. તેમજ જ્ઞાતિમાં પણ 31 વર્ષથી પ્રમુખ છં. જ્ઞાતિનાં વિવિધ કામો કરવામાં આવી રહ્યાં છે.

700 કરોડની ગ્રાન્ટ આવી, આણંદપુર ડેમમાં 25 ખકઉ પાણી અનામત રખાવ્યું
ધીરુભાઇ ગોહેલે કહ્યું હતું કે, મને મેયર બનાવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રી હતાં. ચૂંટણી જીત્યા બાદ પુરતી ગ્રાન્ટ આપવાનું વચન આપ્યું હતું. હું મેયર હતો ત્યારે 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી. તેમજ મારા કાળમાં જ ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાવ્યું. આણંદપુર ડેમમાં જૂનાગઢ માટે 25 એમએલડી પાણી જથ્થો અનામત રાખવાનો નિર્ણય પણ કર્યો હતો. મેયરનાં અઢી વર્ષમાં પુષ્કળ ગ્રાન્ટ આવી હતી અને જૂનાગઢનો વિકાસ કર્યો હતો.

જોષીપરા ઓવરબ્રિજ, તળાવનો વિકાસ ન થયો તેનો અફસોસ
ધીરુભાઇ ગોહેલને મેયર બનાવવામાં આવ્યા ત્યારે જૂનાગઢમાં કંઇ કરી છુટવાની ભાવના રાખતા હતાં. પરંતુ કેટલીક અડચણો આડે આવી હતી. આ અડચણો વચ્ચે પણ જૂનાગઢનાં વિકાસ માટે કામ કરતા રહ્યાં હતાં. ધીરુભાઇએ નિખાલસ પણે સ્વીકાર્યું હતું કે, જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન અને જોષીપરા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવી ન શકયો તેનો અફસોસ છે. ઓવરબ્રિજ માટે વિજયભાઇને વાત કરી તો તેણે તાત્કાલીક સહમતી આપી દીધી હતી. પરંતુ મેયર રહ્યો ત્યાં સુધીમાં જૂનાગઢ માટે આ કામ ન કરી શકયો તેનો અફસોસ રહી ગયો છે.

6 કલાક ઊંઘ, પરિવારને બે કલાક અને ધાર્મિક વાંચન
ધીરુભાઇ ગોહેલની ઉંમર 66 વર્ષની છે. આજે પણ સતત દોડતા રહે છે. તેઓ માત્ર છ કલાકની ઉંઘ લે છે. પરિવાર માટે પુરતો સમય આપે છે. તેમજ ધાર્મીક વાંચન વધુ કરે છે. ગાંધીજી, સરદાર પટેલ, વિનોબા, ડો.આંબેડકરજીનાં પુસ્તકનું વાંચન કરે છે. મોહનભાઇ પટેલને પોતાનાં ગુરુ માને છે. દરેક કાર્યમાં તેની સલાહ લેતા હતાં. તેમજ જીડીસીસી બેંકનાં જનરલ મેનેજર જી.ડી. ભટ્ટનો પણ તેમના પર પ્રભાવ પડ્યો છે. તેમની પાસેથી ઇમાનદારીથી કેમ રહેવું તે શિખ્યાં હતાં.

You Might Also Like

પક્ષમાં ‘સાયલન્ટ’ જવાહર ચાવડા હવે બેરોજગારોના મુદ્દે ‘સક્રિય’ થયા!

માણાવદર પંથકમાં જુગાર અખાડો ઝડપાયો, 6 શખ્સો રોકડ સહિત 1.15 લાખની મતા જપ્ત

માણાવદરના ધારાસભ્ય લાડાણીના વંથલી સ્થિત કાર્યાલયને લાગ્યું અલિગઢી તાળું

તાલાલાનાં બોરવાવ ગીરના શખ્સની પોલીસે NDPS કાયદા હેઠળ અટક કરી અમદાવાદ જેલ હવાલે કર્યો

તાલાલા પંથકની સમૃદ્ધિમાં વધારો કરનાર ખાંડ ફેક્ટરી દિવાળીના દિવસોમાં ખાંડનું ઉત્પાદન કરશે

TAGGED: DHIRUBHAIGOHEL, junagadh, જૂનાગઢ, ધીરૂભાઇગોહેલ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સિવિલમાં સરેરાશ દર કલાકે એક મહિલાની ડિલિવરી
Next Article જસદણમાં જૂનાં મિત્રો સાથે યાદો વાગોળતાં યોગેશ પૂજારા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન
રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો
રાજુલામાં સફાઈ કામદારોની માંગોને લઈ ધરણા
સર્વેશ્ર્વર ચોક કા રાજા આજે વૃધ્ધાશ્રમના વડીલો દુંદાળાદેવની મહાઆરતી કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

પક્ષમાં ‘સાયલન્ટ’ જવાહર ચાવડા હવે બેરોજગારોના મુદ્દે ‘સક્રિય’ થયા!

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

માણાવદર પંથકમાં જુગાર અખાડો ઝડપાયો, 6 શખ્સો રોકડ સહિત 1.15 લાખની મતા જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

માણાવદરના ધારાસભ્ય લાડાણીના વંથલી સ્થિત કાર્યાલયને લાગ્યું અલિગઢી તાળું

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?