By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિઝા ફી વધારાના ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને અસર
    2 hours ago
    nvidia વિશ્ર્વની પ્રથમ કંપની બની, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 4 લાખ કરોડ ડોલરને પાર
    2 hours ago
    ટ્રમ્પે ઇરાક, બ્રાઝિલ અને ફિલિપાઇન્સ સહિત નવા ટેરિફની જાહેરાત કરી
    5 hours ago
    23 લાખ રૂપિયાના UAE ગોલ્ડન વિઝા એક અફવા છે, UAE અધિકારીઓએ પુષ્ટિ આપી
    5 hours ago
    રશિયાએ યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતના દરેક ખૂણે હવે હાઈસ્પીડ ઈન્ટરનેટ મળશે
    2 hours ago
    શશિ થરૂરની સંજય ગાંધી ફ્લેશબેક પોસ્ટ કોંગ્રેસ માટે નવી ઉશ્કેરણી છે
    5 hours ago
    પાંચ દેશોના પ્રવાસ અને 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી વતન પરત ફર્યા
    6 hours ago
    ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ ખોરવાયો
    6 hours ago
    હરિયાણામાં ભૂકંપના જોરદાર ઝટકા, દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    1 hour ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    1 day ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    2 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    5 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    1 day ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    2 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    5 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    1 week ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    7 hours ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    6 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
જુનાગઢ

સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

Khaskhabar Editor
Last updated: 2022/05/28 at 4:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

 

ડૉકટર બનવું હતું, ઘરમાં 250 રૂપિયા ન હતાં આજે કરોડોનાં માલિક

- Advertisement -

ધીરુભાઇએ વિસાવદરમાં અભ્યાસની સાથે પિતાને કડિયા કામમાં મદદ કરી: એક વર્ષ છાપા પણ વેંચ્યા

કહેવાય છે કે, સંઘર્ષ અને કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. આજની યુવા પેઢી માટે કઠોર મહેનતનું શું ફળ મળે તેનું જાગતું ઉદાહરણ જૂનાગઢનાં પૂર્વ મેયર ધીરુભાઇ ગોહેલ છે. ઘરની આર્થીક નબળી પરિસ્થિતીમાં પણ નિરાશ થયા વિના આગળ વધતા રહ્યાં અને આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડર બની ગયા. ખાસ ખબર સાથે આર્થિક સ્થિતિની વાત કરી વખતે પણ તેની આંખો ભીની થઇ ગઇ. તે દર્શાવે છે તે કાળા દિવસો આજે પણ તેવો ભુલી શકયતા નથી. ધીરુભાઇની સંઘર્ષ ગાથા યુવાનોને અને તેમની ઇમાનદારી નેતાઓે માટે પ્રેરણારૂપ છે.

એક સમયે ગીરનાર જેવડો કઠોર પરિશ્રમ કરનાર ધીરુભાઇ ગોહેલે આજે ગીરનાર જેવડી ઉંચાઇ પ્રાપ્ત કરી લીધી છે. જૂનાગઢનાં પૂર્વ મેયર અને બિર્લ્ડર ધીરુભાઇ ગોહેલનું શરૂઆતનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. સામાન્ય પરિવારમાં જન્મેલા અને બાળપણ અને યુવાનીમાં કઠોર પરિશ્રમ એ જ તેમનું જીવન હતું. વિસાવદરમાં નારણભાઇ ગોહેલનાં ઘરે 19 ડિસેમ્બર 1955 જન્મ થયો હતો. વિસાવદરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ. જુની એસએસસીમાં 60 ટકા સાથે ઉર્તિણ થયા.ઇન્જીનીયર કે ડોકટર બનવા માંગતા હતાં. જયારે પરિણામ આવ્યું ત્યારે પિતાજી કડિયા કામ માટે ગયા હતાં. ધીરુભાઇ પરિણામ લઇને પિતાજી પાસે પહોંચ્યા અને કહ્યું કે, હુ પાસ થઇ ગયો. મારે એન્જિનિયર કે ડોકટર બનવું છે. પરંતુ પિતાજીએ કોઇ પણ જવાબ આપ્યો નથી. ધીરુભાઇએ આ વાત બીજી વખત દોહરાવી. પરંતુ પિતાજીનો કોઇ જવાબ ન આવ્યો.ત્યારે સાથે કામ કરનારે કહ્યું નારણભાઇ છોકરાને કેમ જવાબ આપતા નથી ?. ત્યારે પિતાજીએ કહ્યું, ઘરમાં 250 રૂપિયા પણ નથી. અહીંથી ધીરુભાઇ ગોહેલ સીધા વિસાવદર આવ્યા અને છાપાની એજન્સીનાં માલિકને મળી સવારે છાપા વિતરણનો નિર્ણય કરી લીધો.ઉપરાં પિતાજી સાથે કડિયા કામ કરવા જવા લાગ્યા. એક વર્ષ સુધી અખબારનું વિતરણ કર્યુ. આ ઉપરાંત વિસાવદરમાં વેપારીઓનાં નામા લખવાનું કામ પણ કરતા હતાં. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તેમ ધીરુભાઇ રાત દિવસ જોયા વિના મહેનત કરવા લાગ્યા. અનુસંધાન પાના નં. 2 પર

- Advertisement -

અમેરિકા હતા ને વિજયભાઇ રૂપાણીએ ફોન કરી કહ્યું, તમારે ચૂંટણી લડવાની અને મેયર બનવાનું છે

જૂનાગઢ મનપાનાં મેયર તરીકેનો ચાર્જ છોડ્યો ત્યારે મનપાની પેન પણ ખિસ્સામાંથી કાઢી મૂકી દીધી હતી

આ સમયમાં તેનો ભેટો મોહનભાઇ પટેલ(મો.લા.પટેલ) સાથે થયો. મોહનભાઇ પટેલનાં વિચારોથી ધીરુભાઇ પ્રભાવીત થયા. દરેક ક્ષેત્રનાં ગુરુ, માર્ગદર્શક બનાવી લીધાં. 1978માં બાંધકામ ક્ષેત્રમાં જોડાયા.સાથે જ જુદી જુદી સહકારી બેંકમાં જોડાઇ પુન: જીવત કરવાનું કામ કર્યુ. તેમજ આજ અરસામાં મો.લા. પટેલ સાથે રહી ખાદી ગ્રામ ઉદ્યોગમાં જોડાયા અને રચનાત્મક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં જીવનમાં બાંધકામ ક્ષેત્ર ટર્નિગ પોઇન્ટ ત્યારે આવ્યો જયારે 1980માં બસ સ્ટેશન પાસે પ્રથમ જમીનની ખરીદી કરી. અહીં સોસાયટીઓ બનાવી. તેનું નામ મોહનનગર રાખવામાં આવ્યું. 1980 પછી જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રે પાછુ વળીને જોયું નથી. આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડસ બની ગયા છે.

પોતે રાજકારણી માણસ ન હતાં. આરએસએસ,જનસંઘ સાથે નાતો હતો. બાદ ભાજપનાં કામ કરતા હતાં. પરંતુ ચૂંટણી લડવા કયારે માંગતા ન હતા. વર્ષ 2009માં વિજયભાઇ રૂપાણીએ તેમને ચૂંટણી લડવા કહ્યું. ત્યારે ધીરુભાઇએ ના પાડી દીધી હતી. ફરી 2014માં વિજયભાઇ ધીરુભાઇનાં ઘરે આવ્યા અને ચૂંટણી લડવા માટે કહ્યું તેમજ મેયર માટે કહ્યું હતું. ધીરુભાઇ ત્યારે પણ માન્યા ન હતાં. બાદ 2019માં વિજયભાઇ મુખ્ય મંત્રી હતા અને જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીને લઇ બેઠક ચાલતી હતી. મેયરનો ચહેરો કોણ ?.ત્યારે વિજયભાઇએ ધીરુભાઇનું નામ આપ્યું હતું. બાદ વિજયભાઇએ ધીરુભાઇને ફોન કર્યો હતો. આ સમયે ધીરુભાઇ અમેરીકા હતાં. વિજયભાએ કહ્યું કે,તમારે ચૂંટણી લડવાની છે અને તમને મેયર બનાવવામાં આવશે. ત્યારે ધીરુભાઇએ ના પાડી પણ વિજયભાઇ માન્ય નહી. મોહનભાઇની સલાહ લેવાનું કહ્યું તો વિજયભાઇ મોહનભાઇ પટેલની સાથે પણ વાત કરી લીધી હતી. ધીરુભાઇ અમેરીકાથી તાત્કાલીક આવ્યા અને જૂનાગઢ કોર્પોરેટરની ચૂંટણી પ્રથમ વખત લડ્યાં. તેમજ જીત્યા બાદ ધીરુભાઇને મેયર બનાવવામાં આવ્યાં હતાં. અઢી વર્ષ સુધી મેયર રહ્યાં. ત્યારે કોર્પોરેશનની સેવાનો લાભ ન લીધો. જયારે મેયર પદની મુદત પૂર્ણ થઇ ત્યારે ખીસ્સામાં રાખેલી પેન પણ નવા મેયરને આપી દીધી હતી. આગામી ચૂંટણીને લઇને ધીરુભાઇએ કહ્યું કે, ભાજપનો સિક્રય કાર્યકર છું. પાર્ટીનાં આદેશ મુજબ કામ કરી. પરંતુ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતો નથી. કેમ કે હું રાજકારણી નથી. પાર્ટી મારા પર વિશ્ર્વાસ મુકી જે કામ આપશે તે હું કરી.

સાદું જીવન, શિક્ષાપત્રીનાં નિયમ મુજબ ચાલવું, 45 વર્ષથી ખાદી જ પહેરે
જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિરની સેવામાં કાર્યરત રહે છે. 15 વર્ષ સુધી મંદિરનાં ટ્રસ્ટમાં રહ્યાં હતાં. છેલ્લા 40 વર્ષથી દરરોજ સાંજનાં સ્વામીનારાયણ મંદિરે જાય છે. શિક્ષાપત્રીનાં નિમય મુજબ ચાલે છે. સાદુ જીવન જીવે છે.આ ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ સાથે પણ જોડાયેલા છે. શરૂઆતમાં 25 વર્ષ મંત્રી હતી. મોહનભાઇ પટેલનાં નિધન બાદ પ્રમુખ બન્યાં છે. છેલ્લા 45 વર્ષથી ખાદીનાં જ કપડા પહેરે છે. ખાદી ગ્રામોદ્યોગ વર્ષે 5 કરોડનું નર્ટઓવર કરે છે. અનેક લોકોને રોજી આપે છે. તેમજ જ્ઞાતિમાં પણ 31 વર્ષથી પ્રમુખ છં. જ્ઞાતિનાં વિવિધ કામો કરવામાં આવી રહ્યાં છે.

700 કરોડની ગ્રાન્ટ આવી, આણંદપુર ડેમમાં 25 ખકઉ પાણી અનામત રખાવ્યું
ધીરુભાઇ ગોહેલે કહ્યું હતું કે, મને મેયર બનાવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રી હતાં. ચૂંટણી જીત્યા બાદ પુરતી ગ્રાન્ટ આપવાનું વચન આપ્યું હતું. હું મેયર હતો ત્યારે 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી. તેમજ મારા કાળમાં જ ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાવ્યું. આણંદપુર ડેમમાં જૂનાગઢ માટે 25 એમએલડી પાણી જથ્થો અનામત રાખવાનો નિર્ણય પણ કર્યો હતો. મેયરનાં અઢી વર્ષમાં પુષ્કળ ગ્રાન્ટ આવી હતી અને જૂનાગઢનો વિકાસ કર્યો હતો.

જોષીપરા ઓવરબ્રિજ, તળાવનો વિકાસ ન થયો તેનો અફસોસ
ધીરુભાઇ ગોહેલને મેયર બનાવવામાં આવ્યા ત્યારે જૂનાગઢમાં કંઇ કરી છુટવાની ભાવના રાખતા હતાં. પરંતુ કેટલીક અડચણો આડે આવી હતી. આ અડચણો વચ્ચે પણ જૂનાગઢનાં વિકાસ માટે કામ કરતા રહ્યાં હતાં. ધીરુભાઇએ નિખાલસ પણે સ્વીકાર્યું હતું કે, જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન અને જોષીપરા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવી ન શકયો તેનો અફસોસ છે. ઓવરબ્રિજ માટે વિજયભાઇને વાત કરી તો તેણે તાત્કાલીક સહમતી આપી દીધી હતી. પરંતુ મેયર રહ્યો ત્યાં સુધીમાં જૂનાગઢ માટે આ કામ ન કરી શકયો તેનો અફસોસ રહી ગયો છે.

6 કલાક ઊંઘ, પરિવારને બે કલાક અને ધાર્મિક વાંચન
ધીરુભાઇ ગોહેલની ઉંમર 66 વર્ષની છે. આજે પણ સતત દોડતા રહે છે. તેઓ માત્ર છ કલાકની ઉંઘ લે છે. પરિવાર માટે પુરતો સમય આપે છે. તેમજ ધાર્મીક વાંચન વધુ કરે છે. ગાંધીજી, સરદાર પટેલ, વિનોબા, ડો.આંબેડકરજીનાં પુસ્તકનું વાંચન કરે છે. મોહનભાઇ પટેલને પોતાનાં ગુરુ માને છે. દરેક કાર્યમાં તેની સલાહ લેતા હતાં. તેમજ જીડીસીસી બેંકનાં જનરલ મેનેજર જી.ડી. ભટ્ટનો પણ તેમના પર પ્રભાવ પડ્યો છે. તેમની પાસેથી ઇમાનદારીથી કેમ રહેવું તે શિખ્યાં હતાં.

You Might Also Like

પોલીસે આરોપીને પકડવા જીવ સટોસટીનો ખેલ ખેલ્યો, અંતે કાળા દેવરાજ પકડાયો

જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે બિસ્માર રસ્તા રીપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

ધરતી આબા જન ભાગીદારી અભિયાન: જિલ્લામાં આદિજાતિ સિદી સમુદાયને વિવિધ યોજના-સેવાનો લાભ

વન નેશન, વન ઇલેક્શન સંદર્ભે જૂનાગઢ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

ગુરુ સમાધિ સ્થળે પૂજન અને ભોજન-પ્રસાદ સાથે ભવ્ય સંતવાણીનું અનેરૂ આયોજન

TAGGED: DHIRUBHAIGOHEL, junagadh, જૂનાગઢ, ધીરૂભાઇગોહેલ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સિવિલમાં સરેરાશ દર કલાકે એક મહિલાની ડિલિવરી
Next Article જસદણમાં જૂનાં મિત્રો સાથે યાદો વાગોળતાં યોગેશ પૂજારા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ત્રણ જિલ્લાની પોલીસને બાનમાં લેનાર ટંકારા પંથકના લુંટના કેસમાં કાવત્રાખોરના જામીન નામંજુર કરતી સેશન્સ અદાલત

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
રાજકોટ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: પશુપાલકોને પ 60 કરોડનાં નફાનો હિસ્સો ચૂકવવામાં આવશે
શિકાગો ખાતે જૈના ક્ધવેન્શન-2025માં MLA ડો. દર્શિતા શાહનું પ્રવચન, વિશ્ર્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
રાજકોટ ST બસપોર્ટ પર મુસાફર-વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં હાલાકી
પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
જુદા-જુદા છ દરોડામાં 10 કિલો 700 ગ્રામ ગાંજા સાથે છ શખસોની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

પોલીસે આરોપીને પકડવા જીવ સટોસટીનો ખેલ ખેલ્યો, અંતે કાળા દેવરાજ પકડાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જુનાગઢ

જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે બિસ્માર રસ્તા રીપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જુનાગઢ

ધરતી આબા જન ભાગીદારી અભિયાન: જિલ્લામાં આદિજાતિ સિદી સમુદાયને વિવિધ યોજના-સેવાનો લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?