By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    12 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    13 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    15 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    17 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    16 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    16 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    17 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    17 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    17 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    16 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    7 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
જુનાગઢ

સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

Khaskhabar Editor
Last updated: 2022/05/28 at 4:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

 

ડૉકટર બનવું હતું, ઘરમાં 250 રૂપિયા ન હતાં આજે કરોડોનાં માલિક

- Advertisement -

ધીરુભાઇએ વિસાવદરમાં અભ્યાસની સાથે પિતાને કડિયા કામમાં મદદ કરી: એક વર્ષ છાપા પણ વેંચ્યા

કહેવાય છે કે, સંઘર્ષ અને કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. આજની યુવા પેઢી માટે કઠોર મહેનતનું શું ફળ મળે તેનું જાગતું ઉદાહરણ જૂનાગઢનાં પૂર્વ મેયર ધીરુભાઇ ગોહેલ છે. ઘરની આર્થીક નબળી પરિસ્થિતીમાં પણ નિરાશ થયા વિના આગળ વધતા રહ્યાં અને આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડર બની ગયા. ખાસ ખબર સાથે આર્થિક સ્થિતિની વાત કરી વખતે પણ તેની આંખો ભીની થઇ ગઇ. તે દર્શાવે છે તે કાળા દિવસો આજે પણ તેવો ભુલી શકયતા નથી. ધીરુભાઇની સંઘર્ષ ગાથા યુવાનોને અને તેમની ઇમાનદારી નેતાઓે માટે પ્રેરણારૂપ છે.

એક સમયે ગીરનાર જેવડો કઠોર પરિશ્રમ કરનાર ધીરુભાઇ ગોહેલે આજે ગીરનાર જેવડી ઉંચાઇ પ્રાપ્ત કરી લીધી છે. જૂનાગઢનાં પૂર્વ મેયર અને બિર્લ્ડર ધીરુભાઇ ગોહેલનું શરૂઆતનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. સામાન્ય પરિવારમાં જન્મેલા અને બાળપણ અને યુવાનીમાં કઠોર પરિશ્રમ એ જ તેમનું જીવન હતું. વિસાવદરમાં નારણભાઇ ગોહેલનાં ઘરે 19 ડિસેમ્બર 1955 જન્મ થયો હતો. વિસાવદરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ. જુની એસએસસીમાં 60 ટકા સાથે ઉર્તિણ થયા.ઇન્જીનીયર કે ડોકટર બનવા માંગતા હતાં. જયારે પરિણામ આવ્યું ત્યારે પિતાજી કડિયા કામ માટે ગયા હતાં. ધીરુભાઇ પરિણામ લઇને પિતાજી પાસે પહોંચ્યા અને કહ્યું કે, હુ પાસ થઇ ગયો. મારે એન્જિનિયર કે ડોકટર બનવું છે. પરંતુ પિતાજીએ કોઇ પણ જવાબ આપ્યો નથી. ધીરુભાઇએ આ વાત બીજી વખત દોહરાવી. પરંતુ પિતાજીનો કોઇ જવાબ ન આવ્યો.ત્યારે સાથે કામ કરનારે કહ્યું નારણભાઇ છોકરાને કેમ જવાબ આપતા નથી ?. ત્યારે પિતાજીએ કહ્યું, ઘરમાં 250 રૂપિયા પણ નથી. અહીંથી ધીરુભાઇ ગોહેલ સીધા વિસાવદર આવ્યા અને છાપાની એજન્સીનાં માલિકને મળી સવારે છાપા વિતરણનો નિર્ણય કરી લીધો.ઉપરાં પિતાજી સાથે કડિયા કામ કરવા જવા લાગ્યા. એક વર્ષ સુધી અખબારનું વિતરણ કર્યુ. આ ઉપરાંત વિસાવદરમાં વેપારીઓનાં નામા લખવાનું કામ પણ કરતા હતાં. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તેમ ધીરુભાઇ રાત દિવસ જોયા વિના મહેનત કરવા લાગ્યા. અનુસંધાન પાના નં. 2 પર

- Advertisement -

અમેરિકા હતા ને વિજયભાઇ રૂપાણીએ ફોન કરી કહ્યું, તમારે ચૂંટણી લડવાની અને મેયર બનવાનું છે

જૂનાગઢ મનપાનાં મેયર તરીકેનો ચાર્જ છોડ્યો ત્યારે મનપાની પેન પણ ખિસ્સામાંથી કાઢી મૂકી દીધી હતી

આ સમયમાં તેનો ભેટો મોહનભાઇ પટેલ(મો.લા.પટેલ) સાથે થયો. મોહનભાઇ પટેલનાં વિચારોથી ધીરુભાઇ પ્રભાવીત થયા. દરેક ક્ષેત્રનાં ગુરુ, માર્ગદર્શક બનાવી લીધાં. 1978માં બાંધકામ ક્ષેત્રમાં જોડાયા.સાથે જ જુદી જુદી સહકારી બેંકમાં જોડાઇ પુન: જીવત કરવાનું કામ કર્યુ. તેમજ આજ અરસામાં મો.લા. પટેલ સાથે રહી ખાદી ગ્રામ ઉદ્યોગમાં જોડાયા અને રચનાત્મક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં જીવનમાં બાંધકામ ક્ષેત્ર ટર્નિગ પોઇન્ટ ત્યારે આવ્યો જયારે 1980માં બસ સ્ટેશન પાસે પ્રથમ જમીનની ખરીદી કરી. અહીં સોસાયટીઓ બનાવી. તેનું નામ મોહનનગર રાખવામાં આવ્યું. 1980 પછી જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રે પાછુ વળીને જોયું નથી. આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડસ બની ગયા છે.

પોતે રાજકારણી માણસ ન હતાં. આરએસએસ,જનસંઘ સાથે નાતો હતો. બાદ ભાજપનાં કામ કરતા હતાં. પરંતુ ચૂંટણી લડવા કયારે માંગતા ન હતા. વર્ષ 2009માં વિજયભાઇ રૂપાણીએ તેમને ચૂંટણી લડવા કહ્યું. ત્યારે ધીરુભાઇએ ના પાડી દીધી હતી. ફરી 2014માં વિજયભાઇ ધીરુભાઇનાં ઘરે આવ્યા અને ચૂંટણી લડવા માટે કહ્યું તેમજ મેયર માટે કહ્યું હતું. ધીરુભાઇ ત્યારે પણ માન્યા ન હતાં. બાદ 2019માં વિજયભાઇ મુખ્ય મંત્રી હતા અને જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીને લઇ બેઠક ચાલતી હતી. મેયરનો ચહેરો કોણ ?.ત્યારે વિજયભાઇએ ધીરુભાઇનું નામ આપ્યું હતું. બાદ વિજયભાઇએ ધીરુભાઇને ફોન કર્યો હતો. આ સમયે ધીરુભાઇ અમેરીકા હતાં. વિજયભાએ કહ્યું કે,તમારે ચૂંટણી લડવાની છે અને તમને મેયર બનાવવામાં આવશે. ત્યારે ધીરુભાઇએ ના પાડી પણ વિજયભાઇ માન્ય નહી. મોહનભાઇની સલાહ લેવાનું કહ્યું તો વિજયભાઇ મોહનભાઇ પટેલની સાથે પણ વાત કરી લીધી હતી. ધીરુભાઇ અમેરીકાથી તાત્કાલીક આવ્યા અને જૂનાગઢ કોર્પોરેટરની ચૂંટણી પ્રથમ વખત લડ્યાં. તેમજ જીત્યા બાદ ધીરુભાઇને મેયર બનાવવામાં આવ્યાં હતાં. અઢી વર્ષ સુધી મેયર રહ્યાં. ત્યારે કોર્પોરેશનની સેવાનો લાભ ન લીધો. જયારે મેયર પદની મુદત પૂર્ણ થઇ ત્યારે ખીસ્સામાં રાખેલી પેન પણ નવા મેયરને આપી દીધી હતી. આગામી ચૂંટણીને લઇને ધીરુભાઇએ કહ્યું કે, ભાજપનો સિક્રય કાર્યકર છું. પાર્ટીનાં આદેશ મુજબ કામ કરી. પરંતુ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતો નથી. કેમ કે હું રાજકારણી નથી. પાર્ટી મારા પર વિશ્ર્વાસ મુકી જે કામ આપશે તે હું કરી.

સાદું જીવન, શિક્ષાપત્રીનાં નિયમ મુજબ ચાલવું, 45 વર્ષથી ખાદી જ પહેરે
જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિરની સેવામાં કાર્યરત રહે છે. 15 વર્ષ સુધી મંદિરનાં ટ્રસ્ટમાં રહ્યાં હતાં. છેલ્લા 40 વર્ષથી દરરોજ સાંજનાં સ્વામીનારાયણ મંદિરે જાય છે. શિક્ષાપત્રીનાં નિમય મુજબ ચાલે છે. સાદુ જીવન જીવે છે.આ ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ સાથે પણ જોડાયેલા છે. શરૂઆતમાં 25 વર્ષ મંત્રી હતી. મોહનભાઇ પટેલનાં નિધન બાદ પ્રમુખ બન્યાં છે. છેલ્લા 45 વર્ષથી ખાદીનાં જ કપડા પહેરે છે. ખાદી ગ્રામોદ્યોગ વર્ષે 5 કરોડનું નર્ટઓવર કરે છે. અનેક લોકોને રોજી આપે છે. તેમજ જ્ઞાતિમાં પણ 31 વર્ષથી પ્રમુખ છં. જ્ઞાતિનાં વિવિધ કામો કરવામાં આવી રહ્યાં છે.

700 કરોડની ગ્રાન્ટ આવી, આણંદપુર ડેમમાં 25 ખકઉ પાણી અનામત રખાવ્યું
ધીરુભાઇ ગોહેલે કહ્યું હતું કે, મને મેયર બનાવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રી હતાં. ચૂંટણી જીત્યા બાદ પુરતી ગ્રાન્ટ આપવાનું વચન આપ્યું હતું. હું મેયર હતો ત્યારે 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી. તેમજ મારા કાળમાં જ ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાવ્યું. આણંદપુર ડેમમાં જૂનાગઢ માટે 25 એમએલડી પાણી જથ્થો અનામત રાખવાનો નિર્ણય પણ કર્યો હતો. મેયરનાં અઢી વર્ષમાં પુષ્કળ ગ્રાન્ટ આવી હતી અને જૂનાગઢનો વિકાસ કર્યો હતો.

જોષીપરા ઓવરબ્રિજ, તળાવનો વિકાસ ન થયો તેનો અફસોસ
ધીરુભાઇ ગોહેલને મેયર બનાવવામાં આવ્યા ત્યારે જૂનાગઢમાં કંઇ કરી છુટવાની ભાવના રાખતા હતાં. પરંતુ કેટલીક અડચણો આડે આવી હતી. આ અડચણો વચ્ચે પણ જૂનાગઢનાં વિકાસ માટે કામ કરતા રહ્યાં હતાં. ધીરુભાઇએ નિખાલસ પણે સ્વીકાર્યું હતું કે, જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન અને જોષીપરા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવી ન શકયો તેનો અફસોસ છે. ઓવરબ્રિજ માટે વિજયભાઇને વાત કરી તો તેણે તાત્કાલીક સહમતી આપી દીધી હતી. પરંતુ મેયર રહ્યો ત્યાં સુધીમાં જૂનાગઢ માટે આ કામ ન કરી શકયો તેનો અફસોસ રહી ગયો છે.

6 કલાક ઊંઘ, પરિવારને બે કલાક અને ધાર્મિક વાંચન
ધીરુભાઇ ગોહેલની ઉંમર 66 વર્ષની છે. આજે પણ સતત દોડતા રહે છે. તેઓ માત્ર છ કલાકની ઉંઘ લે છે. પરિવાર માટે પુરતો સમય આપે છે. તેમજ ધાર્મીક વાંચન વધુ કરે છે. ગાંધીજી, સરદાર પટેલ, વિનોબા, ડો.આંબેડકરજીનાં પુસ્તકનું વાંચન કરે છે. મોહનભાઇ પટેલને પોતાનાં ગુરુ માને છે. દરેક કાર્યમાં તેની સલાહ લેતા હતાં. તેમજ જીડીસીસી બેંકનાં જનરલ મેનેજર જી.ડી. ભટ્ટનો પણ તેમના પર પ્રભાવ પડ્યો છે. તેમની પાસેથી ઇમાનદારીથી કેમ રહેવું તે શિખ્યાં હતાં.

You Might Also Like

6 તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખૂૂંટ પરિવારને દુ:ખની ઘડીમાં સાંત્વના આપી: આજેે અંતિમ સંસ્કાર

સોમનાથ મંદિર ચોપાટી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થશે

જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વિસાવદર પેટા ચૂંટણીની સમીક્ષા બેઠક

આણંદપુર વિયર ડેમ પહેલાં વરસાદે ઓવરફલો થયો, ચાર ગામોને એલર્ટ કરાયા

TAGGED: DHIRUBHAIGOHEL, junagadh, જૂનાગઢ, ધીરૂભાઇગોહેલ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સિવિલમાં સરેરાશ દર કલાકે એક મહિલાની ડિલિવરી
Next Article જસદણમાં જૂનાં મિત્રો સાથે યાદો વાગોળતાં યોગેશ પૂજારા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિતનાં 4.5 લાખની રકમના દાગીના પરિવારજનોને સોંપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

6 તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ખૂૂંટ પરિવારને દુ:ખની ઘડીમાં સાંત્વના આપી: આજેે અંતિમ સંસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

સોમનાથ મંદિર ચોપાટી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?