By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    14 hours ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    18 hours ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    19 hours ago
    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થતા, કૃષિ તથા અન્ય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો
    2 days ago
    મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાતા વીડિયો શેર કરી કહ્યું,-“હું નિરાશાહીન અનુભવું છું’
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી: હવે શૂન્ય ડ્યુટી સાથે થશે બિઝનેસ
    15 hours ago
    વાહનોનું જંગલ! મુંબઇમાં કારની સંખ્યા 15 લાખને પાર; પ્રતિ કિમી 753 મોટર
    15 hours ago
    ગિફ્ટ સિટીમાં ‘છૂટથી દારૂ પીવાની ગિફ્ટ’
    16 hours ago
    દિલ્હીમાં ટઇંઙનો બાંગ્લાદેશ હાઈ કમિશનને ઘેરાવ-વિરોધ
    16 hours ago
    કોઈ ટાવર્સની જરૂર નથી? ISRO નું બ્લુબર્ડ બ્લોક-2 મિશન મોબાઇલ કનેક્ટિવિટીને કેવી રીતે બદલી શકે છે
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    18 hours ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    2 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    2 days ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    4 days ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    6 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
જુનાગઢ

સંઘર્ષ અને કઠોર મહેનતનું હરતું ફરતું ઉદાહરણ એટલે ધીરુભાઇ ગોહેલ : ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

Khaskhabar Editor
Last updated: 2022/05/28 at 4:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

 

ડૉકટર બનવું હતું, ઘરમાં 250 રૂપિયા ન હતાં આજે કરોડોનાં માલિક

- Advertisement -

ધીરુભાઇએ વિસાવદરમાં અભ્યાસની સાથે પિતાને કડિયા કામમાં મદદ કરી: એક વર્ષ છાપા પણ વેંચ્યા

કહેવાય છે કે, સંઘર્ષ અને કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. આજની યુવા પેઢી માટે કઠોર મહેનતનું શું ફળ મળે તેનું જાગતું ઉદાહરણ જૂનાગઢનાં પૂર્વ મેયર ધીરુભાઇ ગોહેલ છે. ઘરની આર્થીક નબળી પરિસ્થિતીમાં પણ નિરાશ થયા વિના આગળ વધતા રહ્યાં અને આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડર બની ગયા. ખાસ ખબર સાથે આર્થિક સ્થિતિની વાત કરી વખતે પણ તેની આંખો ભીની થઇ ગઇ. તે દર્શાવે છે તે કાળા દિવસો આજે પણ તેવો ભુલી શકયતા નથી. ધીરુભાઇની સંઘર્ષ ગાથા યુવાનોને અને તેમની ઇમાનદારી નેતાઓે માટે પ્રેરણારૂપ છે.

એક સમયે ગીરનાર જેવડો કઠોર પરિશ્રમ કરનાર ધીરુભાઇ ગોહેલે આજે ગીરનાર જેવડી ઉંચાઇ પ્રાપ્ત કરી લીધી છે. જૂનાગઢનાં પૂર્વ મેયર અને બિર્લ્ડર ધીરુભાઇ ગોહેલનું શરૂઆતનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. સામાન્ય પરિવારમાં જન્મેલા અને બાળપણ અને યુવાનીમાં કઠોર પરિશ્રમ એ જ તેમનું જીવન હતું. વિસાવદરમાં નારણભાઇ ગોહેલનાં ઘરે 19 ડિસેમ્બર 1955 જન્મ થયો હતો. વિસાવદરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ. જુની એસએસસીમાં 60 ટકા સાથે ઉર્તિણ થયા.ઇન્જીનીયર કે ડોકટર બનવા માંગતા હતાં. જયારે પરિણામ આવ્યું ત્યારે પિતાજી કડિયા કામ માટે ગયા હતાં. ધીરુભાઇ પરિણામ લઇને પિતાજી પાસે પહોંચ્યા અને કહ્યું કે, હુ પાસ થઇ ગયો. મારે એન્જિનિયર કે ડોકટર બનવું છે. પરંતુ પિતાજીએ કોઇ પણ જવાબ આપ્યો નથી. ધીરુભાઇએ આ વાત બીજી વખત દોહરાવી. પરંતુ પિતાજીનો કોઇ જવાબ ન આવ્યો.ત્યારે સાથે કામ કરનારે કહ્યું નારણભાઇ છોકરાને કેમ જવાબ આપતા નથી ?. ત્યારે પિતાજીએ કહ્યું, ઘરમાં 250 રૂપિયા પણ નથી. અહીંથી ધીરુભાઇ ગોહેલ સીધા વિસાવદર આવ્યા અને છાપાની એજન્સીનાં માલિકને મળી સવારે છાપા વિતરણનો નિર્ણય કરી લીધો.ઉપરાં પિતાજી સાથે કડિયા કામ કરવા જવા લાગ્યા. એક વર્ષ સુધી અખબારનું વિતરણ કર્યુ. આ ઉપરાંત વિસાવદરમાં વેપારીઓનાં નામા લખવાનું કામ પણ કરતા હતાં. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તેમ ધીરુભાઇ રાત દિવસ જોયા વિના મહેનત કરવા લાગ્યા. અનુસંધાન પાના નં. 2 પર

- Advertisement -

અમેરિકા હતા ને વિજયભાઇ રૂપાણીએ ફોન કરી કહ્યું, તમારે ચૂંટણી લડવાની અને મેયર બનવાનું છે

જૂનાગઢ મનપાનાં મેયર તરીકેનો ચાર્જ છોડ્યો ત્યારે મનપાની પેન પણ ખિસ્સામાંથી કાઢી મૂકી દીધી હતી

આ સમયમાં તેનો ભેટો મોહનભાઇ પટેલ(મો.લા.પટેલ) સાથે થયો. મોહનભાઇ પટેલનાં વિચારોથી ધીરુભાઇ પ્રભાવીત થયા. દરેક ક્ષેત્રનાં ગુરુ, માર્ગદર્શક બનાવી લીધાં. 1978માં બાંધકામ ક્ષેત્રમાં જોડાયા.સાથે જ જુદી જુદી સહકારી બેંકમાં જોડાઇ પુન: જીવત કરવાનું કામ કર્યુ. તેમજ આજ અરસામાં મો.લા. પટેલ સાથે રહી ખાદી ગ્રામ ઉદ્યોગમાં જોડાયા અને રચનાત્મક પ્રવૃતિઓ કરવા લાગ્યા. તેમનાં જીવનમાં બાંધકામ ક્ષેત્ર ટર્નિગ પોઇન્ટ ત્યારે આવ્યો જયારે 1980માં બસ સ્ટેશન પાસે પ્રથમ જમીનની ખરીદી કરી. અહીં સોસાયટીઓ બનાવી. તેનું નામ મોહનનગર રાખવામાં આવ્યું. 1980 પછી જૂનાગઢમાં બાંધકામ ક્ષેત્રે પાછુ વળીને જોયું નથી. આજે જૂનાગઢનાં પ્રથમ હરોળનાં બિર્લ્ડસ બની ગયા છે.

પોતે રાજકારણી માણસ ન હતાં. આરએસએસ,જનસંઘ સાથે નાતો હતો. બાદ ભાજપનાં કામ કરતા હતાં. પરંતુ ચૂંટણી લડવા કયારે માંગતા ન હતા. વર્ષ 2009માં વિજયભાઇ રૂપાણીએ તેમને ચૂંટણી લડવા કહ્યું. ત્યારે ધીરુભાઇએ ના પાડી દીધી હતી. ફરી 2014માં વિજયભાઇ ધીરુભાઇનાં ઘરે આવ્યા અને ચૂંટણી લડવા માટે કહ્યું તેમજ મેયર માટે કહ્યું હતું. ધીરુભાઇ ત્યારે પણ માન્યા ન હતાં. બાદ 2019માં વિજયભાઇ મુખ્ય મંત્રી હતા અને જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીને લઇ બેઠક ચાલતી હતી. મેયરનો ચહેરો કોણ ?.ત્યારે વિજયભાઇએ ધીરુભાઇનું નામ આપ્યું હતું. બાદ વિજયભાઇએ ધીરુભાઇને ફોન કર્યો હતો. આ સમયે ધીરુભાઇ અમેરીકા હતાં. વિજયભાએ કહ્યું કે,તમારે ચૂંટણી લડવાની છે અને તમને મેયર બનાવવામાં આવશે. ત્યારે ધીરુભાઇએ ના પાડી પણ વિજયભાઇ માન્ય નહી. મોહનભાઇની સલાહ લેવાનું કહ્યું તો વિજયભાઇ મોહનભાઇ પટેલની સાથે પણ વાત કરી લીધી હતી. ધીરુભાઇ અમેરીકાથી તાત્કાલીક આવ્યા અને જૂનાગઢ કોર્પોરેટરની ચૂંટણી પ્રથમ વખત લડ્યાં. તેમજ જીત્યા બાદ ધીરુભાઇને મેયર બનાવવામાં આવ્યાં હતાં. અઢી વર્ષ સુધી મેયર રહ્યાં. ત્યારે કોર્પોરેશનની સેવાનો લાભ ન લીધો. જયારે મેયર પદની મુદત પૂર્ણ થઇ ત્યારે ખીસ્સામાં રાખેલી પેન પણ નવા મેયરને આપી દીધી હતી. આગામી ચૂંટણીને લઇને ધીરુભાઇએ કહ્યું કે, ભાજપનો સિક્રય કાર્યકર છું. પાર્ટીનાં આદેશ મુજબ કામ કરી. પરંતુ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતો નથી. કેમ કે હું રાજકારણી નથી. પાર્ટી મારા પર વિશ્ર્વાસ મુકી જે કામ આપશે તે હું કરી.

સાદું જીવન, શિક્ષાપત્રીનાં નિયમ મુજબ ચાલવું, 45 વર્ષથી ખાદી જ પહેરે
જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિરની સેવામાં કાર્યરત રહે છે. 15 વર્ષ સુધી મંદિરનાં ટ્રસ્ટમાં રહ્યાં હતાં. છેલ્લા 40 વર્ષથી દરરોજ સાંજનાં સ્વામીનારાયણ મંદિરે જાય છે. શિક્ષાપત્રીનાં નિમય મુજબ ચાલે છે. સાદુ જીવન જીવે છે.આ ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ સાથે પણ જોડાયેલા છે. શરૂઆતમાં 25 વર્ષ મંત્રી હતી. મોહનભાઇ પટેલનાં નિધન બાદ પ્રમુખ બન્યાં છે. છેલ્લા 45 વર્ષથી ખાદીનાં જ કપડા પહેરે છે. ખાદી ગ્રામોદ્યોગ વર્ષે 5 કરોડનું નર્ટઓવર કરે છે. અનેક લોકોને રોજી આપે છે. તેમજ જ્ઞાતિમાં પણ 31 વર્ષથી પ્રમુખ છં. જ્ઞાતિનાં વિવિધ કામો કરવામાં આવી રહ્યાં છે.

700 કરોડની ગ્રાન્ટ આવી, આણંદપુર ડેમમાં 25 ખકઉ પાણી અનામત રખાવ્યું
ધીરુભાઇ ગોહેલે કહ્યું હતું કે, મને મેયર બનાવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રી હતાં. ચૂંટણી જીત્યા બાદ પુરતી ગ્રાન્ટ આપવાનું વચન આપ્યું હતું. હું મેયર હતો ત્યારે 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી. તેમજ મારા કાળમાં જ ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાવ્યું. આણંદપુર ડેમમાં જૂનાગઢ માટે 25 એમએલડી પાણી જથ્થો અનામત રાખવાનો નિર્ણય પણ કર્યો હતો. મેયરનાં અઢી વર્ષમાં પુષ્કળ ગ્રાન્ટ આવી હતી અને જૂનાગઢનો વિકાસ કર્યો હતો.

જોષીપરા ઓવરબ્રિજ, તળાવનો વિકાસ ન થયો તેનો અફસોસ
ધીરુભાઇ ગોહેલને મેયર બનાવવામાં આવ્યા ત્યારે જૂનાગઢમાં કંઇ કરી છુટવાની ભાવના રાખતા હતાં. પરંતુ કેટલીક અડચણો આડે આવી હતી. આ અડચણો વચ્ચે પણ જૂનાગઢનાં વિકાસ માટે કામ કરતા રહ્યાં હતાં. ધીરુભાઇએ નિખાલસ પણે સ્વીકાર્યું હતું કે, જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન અને જોષીપરા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવી ન શકયો તેનો અફસોસ છે. ઓવરબ્રિજ માટે વિજયભાઇને વાત કરી તો તેણે તાત્કાલીક સહમતી આપી દીધી હતી. પરંતુ મેયર રહ્યો ત્યાં સુધીમાં જૂનાગઢ માટે આ કામ ન કરી શકયો તેનો અફસોસ રહી ગયો છે.

6 કલાક ઊંઘ, પરિવારને બે કલાક અને ધાર્મિક વાંચન
ધીરુભાઇ ગોહેલની ઉંમર 66 વર્ષની છે. આજે પણ સતત દોડતા રહે છે. તેઓ માત્ર છ કલાકની ઉંઘ લે છે. પરિવાર માટે પુરતો સમય આપે છે. તેમજ ધાર્મીક વાંચન વધુ કરે છે. ગાંધીજી, સરદાર પટેલ, વિનોબા, ડો.આંબેડકરજીનાં પુસ્તકનું વાંચન કરે છે. મોહનભાઇ પટેલને પોતાનાં ગુરુ માને છે. દરેક કાર્યમાં તેની સલાહ લેતા હતાં. તેમજ જીડીસીસી બેંકનાં જનરલ મેનેજર જી.ડી. ભટ્ટનો પણ તેમના પર પ્રભાવ પડ્યો છે. તેમની પાસેથી ઇમાનદારીથી કેમ રહેવું તે શિખ્યાં હતાં.

You Might Also Like

જૂનાગઢમાં સાયબર ક્રાઈમ: જોખમ, જાગૃતિ અને જાળવણી વિષય પર વ્યાખ્યાન યોજાયું

જૂનાગઢથી જામવાળા સુધીની 100 કિલોમીટરની સાયકલ રેલીમાં 750 યુવાનોએ ભાગ લીધો

જૂનાગઢ ખાતે ડુંગરાળ વિસ્તાર અને ખડક ચઢાણ શિબિર સંપન્ન, શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત

જૂનાગઢમાં ઘોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો 80 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

સાઇબર ફ્રોડના તાર દુબઈ સુધી જોડાયેલા, દુબઇથી ઈરફાન જાદુગર સંચાલન કરતો’તો

TAGGED: DHIRUBHAIGOHEL, junagadh, જૂનાગઢ, ધીરૂભાઇગોહેલ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સિવિલમાં સરેરાશ દર કલાકે એક મહિલાની ડિલિવરી
Next Article જસદણમાં જૂનાં મિત્રો સાથે યાદો વાગોળતાં યોગેશ પૂજારા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢમાં સાયબર ક્રાઈમ: જોખમ, જાગૃતિ અને જાળવણી વિષય પર વ્યાખ્યાન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
જૂનાગઢથી જામવાળા સુધીની 100 કિલોમીટરની સાયકલ રેલીમાં 750 યુવાનોએ ભાગ લીધો
જૂનાગઢ ખાતે ડુંગરાળ વિસ્તાર અને ખડક ચઢાણ શિબિર સંપન્ન, શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત
જૂનાગઢમાં ઘોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો 80 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
સાઇબર ફ્રોડના તાર દુબઈ સુધી જોડાયેલા, દુબઇથી ઈરફાન જાદુગર સંચાલન કરતો’તો
સુરેન્દ્રનગરમાં ઉચ્ચ એજન્સીના દરોડા: જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને તપાસ શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢમાં સાયબર ક્રાઈમ: જોખમ, જાગૃતિ અને જાળવણી વિષય પર વ્યાખ્યાન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
જુનાગઢ

જૂનાગઢથી જામવાળા સુધીની 100 કિલોમીટરની સાયકલ રેલીમાં 750 યુવાનોએ ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
જુનાગઢ

જૂનાગઢ ખાતે ડુંગરાળ વિસ્તાર અને ખડક ચઢાણ શિબિર સંપન્ન, શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?