મુખ્તાર શાહ, નાનુ ગુર્જર, મોહસીન શેખ, પ્રિયંકા બાસુ અને સંગીતા મેલેકરે જુના નવા ફિલ્મી ગીતો ગઈ લોકોને ડોલાવ્યા
યોગેશભાઈ પુજારા અને રાજદીપસિંહ જાડેજા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોપી રાસોત્સવના શાનદાર સમાપન બાદ સરગમ કલબ દ્વારા સોમવારથી પંચામૃત મહોત્સવની શરૂઆત થઇ હતી અને જાહેરજનતા માટે એક એક થી ચડિયાતા કાર્યક્રમોની વણઝાર કરવામાં આવી છે. આ કાર્યક્રમની શરૂઆત સંગીત સંધ્યાથી થઇ હતી અને વરસતા વરસાદ વચ્ચે પણ તેને માણવા માટે સતત ત્રણ ક્લાક સુધી સંગીત પ્રેમી લોકો ઉમટી પડ્યા હતા.સરગમ કલબ, પુજારા ટેલીકોમ તેમજ ઝવય ઉખક ૠજ્ઞિીા ના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલી આ સંગીત સંધ્યામાં પુજારા ટેલિકોમના યોગેશભાઈ પૂજારાએ કહ્યું હતું કે, રાજકોટની કલાપ્રેમી જનતા માટે સરગમ કલબ દર વરસે આ પ્રકારના જાહેર કાર્યક્રમો યોજે છે તે ઘણી સારી બાબત છે અને આવા કાર્યક્રમોને લીધે સંસ્કૃતિક પ્રવૃતિઓ જીવંત રહે છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં મુખતાર શાહ (અમદાવાદ), નાનુ ગુજર (મુંબઈ), સંગીતા મેલેકર ( મુંબઈ ), પ્રિયંકા બાસુ (અમદાવાદ), મોહસીન શેખ ( અમદાવાદ) તથા સાથી કલાકારોએ જુના નવા ગીતોની મહેફિલ જમાવી હતી. મેલોડી કલર્સનાં મન્સુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ અને તેમની મ્યુઝીકલ ટીમે પણ જમાવટ કરી હતી.
આ કાર્યક્રમમાં પુજારા ટેલિકોમના યોગેશભાઈ પુજારા અને રાહીલભાઈ પુજારા, રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) ભુપતભાઈ તલાટીયા દિલીપભાઈ શેઠ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ સંગીત સંધ્યા માણી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, રાહિલભાઈ પુજારા, ચિરાગભાઈ લાખાણી, દર્શનભાઈ લાખાણી, મીતેનભાઇ મહેતા,અનવરભાઈ ઢેબા, જ્યરાજસિંહ ઝાલા, રાજેન્દ્રભાઈ શેઠ, ઘનશ્યામભાઈ પરસાણા, કીરીટભાઈ આડેસરા, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી વગેરે એ જહેમત ઉઠાવી હતી.