ખાણ ખનિજ વિભાગની ટીમે દરોડો કરી બંને વાહનો સીઝ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ખનિજ ચોરી ચાલી રહી છે તેવામાં ધ્રાંગધ્રા પંથકમાં નીકળતા પથ્થરની માંગ દેશ વિદેશમાં ખૂબ જ છે જેથી અહીં મોટા પ્રમાણમાં પથ્થરનું અવૈધ ખનન થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર અને તેઓની ટીમને ધ્રાંગધ્રાના વાવડી ગામે પથ્થરનું ગેરકાયદેસર ખનન થતું હોવાની જાણ થતા ટીમ દ્વારા વાવડી ગામે સીમ વિસ્તારમાં દરોડો કરી નંબર પ્લેટ વગર પથ્થર ભરેલ ટ્રક તથા જીજે 23 એ સી 4852 નંબરની ક્રેન જપ્ત કરી બંનેના દરિવારોને પૂછપરછમાં ટ્રકના માલિક વિષ્ણુભાઈ અક્ષરભાઈ ભરમાણી રહે: સત્તાપર તથા ક્રેનના મલિક દેવાભાઇ પ્રેમજીભાઈ ગોતરીયા રહે: સત્તાપર વિરુધ કાર્યવાહી હાથ ધરી બંને વાહનોને સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.