ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં રોગચાળો ફાટી નીકળ્યો
રાજ્યમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનો શિકાર બનતા સેંકડો લોકો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ દર્દીઓથી પણ હોસ્પિટલ ઉભરાવવા લાગી છે. જેમાં પાણીજન્ય રોગોથી લઈ વિવિધ રોગના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આ ચાલુ વર્ષે રાજ્યમા ડેન્ગ્યુના કુલ 876 કેસ નોંધાય છે. જ્યારે મેલેરિયાના 1206 કેસ અત્યાર સુધી નોધાયા છે. જ્યારે બીજી તરફ ક્ધજક્ટિવાઇટિસના પણ મોટી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં પાણીજન્ય રોગોના કારણે પણ હોસ્પિટલમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ સૌથી વધુ ડેન્ગ્યુના કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. જેમાં રાજકોટ મનપામાં 30, ગાંધીનગર મનપામાં 104 કેસ, અમદાવાદ મનપામાં 250 જેટલા કેસ
નોંધાયા છે.
મલેરિયાના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મલેરિયાના 1206 કેસ અત્યાર સુધી નોંધાયા છે. સુરતમાં 268 કેસ નોંધાયા છે અને કચ્છમાં 108 અને ભાવનગરમાં 10 કેસ તો ગાંધીનગરમાં 21,બનાસકાંઠામાં 22, વલસાડમાં 6 કેસ નોંધાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ટાઇફોઇડના 1000થી વધુ તથા કમળાના 500 તથા કોલેરાના છ કેસ નોંધાયા હતા. રાજ્યની તમામ સિવિલ હોસ્પટલમાં ઓપીડી 2200ને પાસ થઈ છે.