સરગમ ક્લબ અને માતૃશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉંના સંયુક્ત ઉપક્રમે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ તા.1/09/2024 ના રોજ સીધા સ્થળ પર પહોચવું દર્દીઓએ પોતાનું ઓળખ પત્ર તેમજ ડોકટરના સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
- Advertisement -
સાસ્કૃતિક,સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને માતૃશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉં અને કમાણી ફાઉન્ડેશનનાં સયુંકત ઉપક્રમે તા.1/09/2024રવિવાર થી 3/09/2024ના રોજ આ જયપુર કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધાર કાર્ડ અને ડોક્ટરનું વિકલાંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર,આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પ તા.1/09/2024 થી 3/09/2024 સુધી સપ્ટેમ્બર માસ નાં રોજ યોજાશે. જેની ખાસ નોંધ લેવી. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોને તા01/09/24રવિવાર ના રોજ સવારે 8/00 કલાકે ખાસ સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ. ફોન નં.0281-2457168 ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે.અને તેઓને રીપેરીંગ કરાવવાનું હોઈ તેઓએ પણ તા.1/09/2024 ના રોજ સવારે 8/00 ખાસ ઉપસ્થિત રહેવું.
આ કેમ્પમાં અમોને મુખ્ય સહયોગ માતૃશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉંના પરિવારજનો શીલાબેન શૈલેષભાઈ માઉં, પ્રિયાંશી હર્ષિલ માઉં, પ્રીતિબેન વિરેન્દ્રભાઈ શાહ, દેવાંશી, કાવ્ય નોસહયોગ મળેલ છે. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાંમાર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ તથા શીલાબેન શૈલેષભાઈ માઉં, કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્ર્મીભાઈ કમાણી જહેમત ઉઠાવે રહ્યા છે.