ગ્રામજનો અને સરપંચ દ્વારા સરકારમાં અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના બામણબોર ગામે આવેલ પ્રાથમિક શાળા નંબર એક ઘણા સમયથી 6 થી 8 મહિના બે શિક્ષકો દ્વારા કામ ચલાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બે શિક્ષકો હોય ત્યારે બાલ વાટિકા માંડીને આઠ ધોરણ સુધી બે શિક્ષકો દ્વારા કામ ચલાવવું પડે છે. ત્યારે બે શિક્ષકો કોન્ટેક્ટ બેઝ ઉપર હોય ત્યારે ત્રણ થી ચાર શિક્ષક હોય તેને પણ સરકારી કામમાં રોકાયેલો હોય ચૂંટણી બાબતોની કામ આચાર્ય તરીકેની જવાબદારી ગામ ને લગતા કામમાં રોકાયેલા હોય બે શિક્ષક દ્વારા કામ ચલાવું પડે છે ત્યારે આજના રાષ્ટ્રધ્વજ બામણબોર ખાતે 180 બાળકો ભણતા હોય ત્યારે બે શિક્ષકો દ્વારા કામ ચલાવવું પડે છે.
ચાર શિક્ષક હોવા છતાં બેને અવારનવાર સરકારી કામમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં બે શિક્ષકો રોકાયેલા હોય તેના દ્વારા કામ કરાવે છે એટલા માટે બામણબોર ગામના વાલીઓ અને રોજ ઠાલવ્યો હતો. સરપંચ દ્વારા 180 બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે પાંચ શિક્ષકોની જરૂર હોય તાત્કાલિક ધોરણે બામણબોર પ્રાથમિક શાળામાં પાંચ શિક્ષકો પૂરી કરવા મામલતદાર પ્રાંત અધિકારી શિક્ષણ અધિકારી ગ્રામ પંચાયત પ્રમુખ વગેરેને રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો તાત્કાલિક ધોરણે શિક્ષકોને કાયમી કરવામાં આવે અને અને પાંચ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે એવી સમક્ષ લાવ્યો હતો. અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં આજે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ, સરપચ દ્વારા અને સમાજ રોષ ઠાલવ્યો હતો.
બામણબોરની પ્રાથમિક શાળા નંબર 4માં સીમ શાળા નિશાળ આવેલી છે જે વાડી વિસ્તાર પાતા તરીકે ઓળખાય છે. એમાં એક શિક્ષિકા બેન હોય ત્યારે એમાં પણ એક શિક્ષકની ઘટ છે. તંત્ર દ્વારા વારંવાર જિલ્લા શિક્ષણ અધિકારી આ ગામની મુલાકાત લઈને તાત્કાલિક ધોરણે બંને નિશાળોના શિક્ષકો પૂરા કરવામાં આવે એવી લોકમાગણી ઉઠી છે. જ્યારે સીમ શાળામાં એક બેન હોવાથી મિટિંગમાં તથા આજુબાજુ કામમાં જતા હોય ત્યારે સીમ શાળા નિશાળ રામના ભરોસે હાલતી હોય એવું દેખાય છે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરતા હોય ત્યારે આ નિશાળ રાજકોટના બામણબોર ગામે બંને નિશાળોના મુલાકાત લઈને જિલ્લા શિક્ષણ અધિકારી અને તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે તાત્કાલિક ધોરણે સહ શિક્ષકો કાયમી મૂકવામાં આવે એવી લોકમાગણી ઉઠી છે.