મોદી-NDA ત્રીજીવાર સરકાર ચલાવવા મક્કમ : ત્રીજા કાર્યકાળની ગેરંટીઓ પૂર્ણ કરવાનું મોદીએ આપ્યું વચન
NDA મતલબ ન્યુ ઈન્ડિયા, ડેવલપ ઈન્ડિયા, એસ્પિરેશનલ ઈન્ડિયા : નરેન્દ્ર મોદી
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.5
- Advertisement -
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સંસદીય દળની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં શરૂ થઈ ગઈ છે. આમાં મંત્રાલયોના વિભાજન પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમાં નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન સહિત એનડીએના સહયોગી દળોના અન્ય નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે. ભાજપના સાંસદ પ્રહલાદ પટેલ, ભર્તૃહરિ મહતાબ, નિશિકાંત દુબે, કંગના રનૌત, શિવરાજ સિંહ ચૌહાણ, અન્નામલાઈ અને સુધા મૂર્તિ બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા છે. આજે સાંજે બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાશે. જેમાં પાર્ટીની કામગીરી અંગે ચર્ચા થશે.
બીજી તરફ દિલ્હીમાં NDAના બે મોટા સહયોગીJDUઅને LJP (R)ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. જેડીયુના 12 સાંસદોએ નીતીશ કુમારને પાર્ટીના સંસદીય દળના નેતાની પસંદગી કરવા માટે અધિકૃત કર્યા છે. NDP(R) એ પાર્ટીના વડા ચિરાગ પાસવાનને સંસદીય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના સેન્ટ્રલ હોલમાં NDAની બેઠક પૂરી થયા બાદ ગઠબંધન નેતાઓ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. મોદી 9 જૂને સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. સમાચાર છે કે મોદીની સાથે સમગ્ર કેબિનેટ શપથ લઈ શકે છે.
એનડીએની પ્રથમ બેઠક 5 જૂને સાંજે 4 વાગ્યે પીએમ આવાસ પર મળી હતી. એક કલાક ચાલેલી બેઠકમાં 16 પક્ષોના 21 નેતાઓએ ભાગ લીધો હતો. બધાએ મોદીને ગઉઅના નેતા તરીકે પસંદ કર્યા હતા. પરંતુ આજે યોજાનારી સંસદીય દળની બેઠકમાં મોદીને સત્તાવાર રીતે ગઉઅના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.
તેમણે બુધવારે જ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને 17મી લોકસભાનું વિસર્જન કર્યું. જો કે, નવી સરકારની રચના થાય ત્યાં સુધી મોદી જ કાર્યવાહક વડા પ્રધાન છે.
- Advertisement -
લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે. બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. જો કે એનડીએ 293 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો. ભાજપ સિવાય ગઉઅ પાસે 14 સહયોગી પક્ષોના 53 સાંસદો છે.
ચંદ્રાબાબુની ટીડીપી 16 બેઠકો સાથે ગઠબંધનમાં બીજા નંબરે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.