રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ₹3595.7 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
રહેણાંક મિલકતનો સફાઈ વેરો ₹365થી વધારીને ₹800 અને પાણીવેરો ₹1500ના બદલે ₹2400 લેવા સૂચન
- Advertisement -
મકાન અને થિયેટર ટેક્સ યથાવત: કમિશનર દ્વારા સૂચવાયેલો વેરો ચૂંટણી વર્ષના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રદ્દ કરવામાં આવે તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 3595.70 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જો કે, આ વખતે સફાઈ વેરો અને પાણીવેરામાં વધારાનું સૂચન કરાયું છે જેમાં સફાઈ વેરામાં રહેણાંક મિલકતમાં 365થી 800 અને બિન રહેણાંક મિલકતનો વેરો 1460થી 3200 કરવા જ્યારે પાણી વેરામાં રહેણાંત મિલકતના 1500થી 2400 અને બિન રહેણાંક મિલકતમાં 3000થી 4800નો વેરો કરવા કમિશનરે સૂચન કરાયું છે. વર્ષ 2025-26નું વર્ષ વેરા વસુલાત શાખા માટે ખૂબ જ મહત્વનું રહ્યુ છે. અત્યાર સુધીમાં કુલ 4,07,219 કરદાતાઓએ મિલકતવેરાની ભરપાઈ કરેલ છે જેનાથી કુલ રકમ રૂ. 347 કરોડની વસુલાત થવા પામેલ છે. ચાલુ નાણાકીય વર્ષે રકમ રૂ. 455 કરોડની આવક થવાનો અંદાજ છે. અને આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે વેરાની આવકનો રકમ રૂ. 501.00 કરોડ તથા સૂચિત વેરા વધારો મંજુર થયે અંદાજિત રકમ રૂ. 95.00 કરોડ મળી કુલ રકમ રૂ. 596 કરોડનો અંદાજ રાખવામા આવેલ છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અમદાવાદ ખાતે આગામી સમયમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખી રાજકોટના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એડવાન્સ સ્ટેજ પર લઈ જવામાં આવશે. આ માટે શહેરના ત્રણેય ઝોનમાં ઙઙઙ ધોરણે આધુનિક રમતગમતની સુવિધાઓ વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. જામનગર રોડ પરનો સાંઢિયા પુલ બ્રિજ (રૂ. 74.33 કરોડ) વર્ષ 2026-27માં પૂર્ણ થશે. કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રૂ. 167.24 કરોડના ખર્ચે થ્રી-લેયર ફ્લાયઓવર અને અન્ડરબ્રીજની કામગીરી પ્રગતિમાં છે.
- Advertisement -
વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સને લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાશે
શહેરના વિવિધ વિસ્તારોમાં 3170 નવા આવાસ, નવા વેક્યુમ સ્વીપિંગ મશીન, ગ્લૉ ગાર્ડન, આઈ-વૅ પ્રોજેકટ 2.0 સહિતની નવી યોજનાઓ
આગામી વર્ષે રૂ. 596 કરોડના વેરાની વસૂલાતનો લક્ષ્યાંક રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આજે 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26માં કુલ 4.07 લાખ કરદાતાઓએ 347 કરોડની ભરપાઈ કરી છે જેનો લક્ષ્યાંક 455 કરોડ રાખવામાં આવ્યો છે. જયારે હવે આગામી વર્ષે 2026-27માં વેરાની આવક લક્ષ્યાંક 596 કરોડ રાખવામાં આવ્યો છે. વર્ષ 2018માં સૂચવેલ મકાન વેરો યથાવત રાખી રહેણાંક મિલ્કતમાં પ્રતિ ચોરસ મીટર 11 રૂપિયા અને બિન રહેણાંકમાં 25 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન વેરામાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને 99,999 કિંમતના વાહનોમાં 1.5%, 1 લાખથી 7.99 લાખ કિંમતના વાહનો પર 2.5% અને 8 લાખથી વધુ કિંમતના વાહનો પર 3% વાહન વેરો વસૂલવામાં આવશે.
અચઈં સુધારવા 5.30 લાખ વૃક્ષો વાવવા અને બોટનિકલ ગાર્ડનનું આયોજન
રાજકોટ શહેરની હવાની ગુણવત્તા સુધારા વધારા માટે 5.30 લાખ વૃક્ષો વાવવામાં આવશે. 20 હેક્ટરમાં બોટનિકલ ગાર્ડન ઊભું કરવામાં આવશે. લાલપરી તળાવ નજીક વૃક્ષો વવાશે. જ્યારે 138 ઈ-બસ અને 100 સીએનજી બસ પરિવહન માટે ખરીદવામાં આવશે જેને લઈને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે. રેસકોર્ષ ખાતે નવો ગ્લો ગાર્ડન વિકસાવાશે.
સાયકલની ખરીદી પર ₹1000ની સહાય
સ્માર્ટ સિટી રાજકોટને પ્રદૂષણ મુક્ત બનાવવા અને લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહાનગરપાલિકાએ ખાસ સબસીડી યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત નવી સાયકલ ખરીદનાર નાગરિકોને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. નવી સાયકલની ખરીદી પર લાભાર્થીને 1000 ની સબસીડી મળશે. મનપા દ્વારા આ વર્ષે અંદાજે 2500 જેટલા શહેરીજનોને આ યોજના હેઠળ આવરી લેવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાએ અંદાજે રૂ. 25 લાખની જોગવાઈ કરી છે.
રોડ રસ્તા માટે ₹254 કરોડની જોગવાઈ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગત વર્ષે લીવેબલ થીમ સાથે બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં નગર એટલે કે નળ, ગટર અને રસ્તાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2025-26 દરમિયાન 138.05 કરોડના ખર્ચે 179.83 કિલોમીટરના રસ્તા કાર્પેટ/રી-કાર્પેટ કરવામાં આવ્યા હતા અને હવે આ વર્ષે 2026-27માં રોડ રસ્તા માટે રૂ.254 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
1986નો ‘વોટર ટ્રેન’ ખર્ચ હવે ગ્રાન્ટમાં ફેરવવા રાજ્ય સરકારને રજૂઆત
વર્ષ 1986-87 દરમિયાન પાણીની તીવ્ર અછત સર્જાઈ હતી અને તે વખતે વિશ્ર્વ બેંક તરફથી રાજ્ય સરકારના પાણી પૂરવઠા બોર્ડને રૂ.5.43 કરોડની રકમ મળી હતી. પાણીની કટોકટી વખતે ટ્રેન દ્વારા રાજ્ય સરકારે પાણી પૂરૂ પાડેલ તેની રકમ રૂ.17.15 કરોડની રકમ વિવાદમાં છે. આ રકમને ગ્રાન્ટ તરીકે ગણવા અંગે રાજ્ય સરકારને રજૂઆત કરાઈ છે.



