મેળામાં 4 દિવસ આધુનિક ટેક્નોલોજી સાથે બંદોબસ્ત: SP
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ સ્થિત યોજાતો મહા શિવરાત્રી મેળો આગામી તા.5 માર્ચથી ચાર દિવસ સુધી ચાલશે ત્યારે મેળામાં પ્રતિ વર્ષ 10 લાખથી વધુ ભાવિકો પધારે છે ત્યારે જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીત એસઓજી અને એલસીબી સહિતના અધિકારીઓએ સ્થાનિક પત્રકારો સાથે મેળા બાબતે ખાસ એક બેઠકનું આયોજન કરાયું હતું.
શિવરાત્રી મેળો લોકો શાંતિ અને સુખરૂપ માણી શકે તેના માટે એસપી હર્ષદ મેહતા દ્વારા પત્રકારો પાસે સૂચનો માંગ્યા હતા અને શાંતિ પૂર્ણ રીતે મેળો સંપન્ન થાય તેવા સૂચનો સામે આવ્યા હતા જેમાં ટ્રાફિક સમસ્યા તેમજ ભવનાથ તળેટીમાં થતી ભીડ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જયારે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમામાં જે રીતે પોલીસ પરિવાર દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાકાર કર્યું હતું એજ રીતે મહા શિવરાત્રી મેળામાં પણ લોકોને કોઈ અગવડતા ન પડે અને મેળો શાંતિ પૂર્ણ રીતે માણી શકે તેના માટે ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા સાથે આધુનિક ટેક્નોલોજી ઉપયોગ સાથે મેળાના ચાર દિવસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.