રાજસ્થાનની સિમેન્ટ ફેક્ટરીમાં ભેળસેળ કરેલો પેટકોક કોલસો મોકલવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર જિલ્લાનો કોલસો હવે ગેરકાયદેસરની સાથે કરોડોના કૌભાંડમાં ચર્ચિત બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાંથી નીકળતો ગેરકાયદે કોલસો વાહનો થકી મોરબી સુધી સુધી લઈ જવામાં આવે છે અને વાંકાનેર ખાતે કારખાના ઠાલવી તેને પ્રોસેસ કર્યા બાદ નવલખીથી આવતા પેટકોક કોલસા સાથે ભેળસેળ કરવામાં આવે છે.
- Advertisement -
નવલખીથી આવતા 26 ટન પેટકોક કોલસાનો મોટા પ્રમાણમાં જથ્થો અહીં વાંકાનેર નજીક કારખાનામાં ઉતારી લેવામાં આવે છે અને બાદમાં થાનગઢના સસ્તો કોલસો મિક્ષ કરી બાદમાં રાજસ્થાન ખાતે આવેલી કંપનીમાં મોકલી દેવાય છે. આ આખાય કૌભાંડમાં રાજકીય ઓથ હોવાનું સામે આવ્યું છે. જેમાં વાંકાનેર ખાતે કારખાનામાં જ આ આખાય ભેળસેળ પ્રક્રિયાને અંજામ આપવામાં આવે છે જોકે આ ભેળસેળ પ્રક્રિયાથી સ્થાનિક તંત્ર અને છેક ગાંધીનગર સુધી બેઠેલા અધિકારીઓ પણ જાણતા હશે ? પરંતુ કૌભાંડ પાછળ રાજકીય ઓથ હોવાથી તંત્ર અહીં ભીગી બિલ્લીની માફક જેટલું મળે એટલું દૂધ પી લઈને નીકળી જાય છે. જ્યારે આ આખાય કૌભાંડમાં નવલખી બંદર પરથી આવતો 26 ટન ભરેલ પેટકોક કોલસાના વાહનમાં 13 ટન જેટલો અંદાજે દોઢ લાખ જેટલો ઉતારી તેમાં થાનગઢનો 13 ટન કોલસો અંદાજે 40 હજાર રૂપિયાનો મિક્સ કરી રાજસ્થાન જયપુર ખાતે મોકલી દેવાય છે. એટલે કે એક વાહન દીઠ રૂપિયા એક લાખનું કૌભાડ આ પ્રકારે દરરોજ લગભગ 20થી વધુ ટ્રકોમાં ભેળસેળ કરતા હોવાનું અંદાજ લગાવતા દર મહિને કરોડોનું પેટકોક કૌભાંડ આચરવામાં આવે છે.
વાંકાનેરમાં થતું પેટકોક ભેળસેળ કૌભાંડ SMCના રડારમાં ?
“ખાસ – ખબર” મળતી વિગતો અનુસાર આગાઉ પણ મોરબી જિલ્લામાં પેટકોક કોલસાના ભેળસેળનું પ્રકરણ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા ઝડપી લેવાયું હતું ત્યારે ફરી એક વખત ગાંધીનગર એસ.એમ.સીને વાંકાનેર ખાતે થતા પેટકોક કોલસામાં ભેળસેળ પ્રકરણ ધ્યાને આવતા વધુ એક કૌભાંડ પકડાય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.
- Advertisement -
ભેળસેળ કરી પેપર મિલોને બે નંબરી વેચાણ કરી દેવાય છે
નવલખી બંદર પરથી 26 ટન આવતો પેટકોક કોલસો વાંકાનેરના કારખાનામાં 13 ટન જેટલો ખાલી કરી બાદમાં તેમાં થાનગઢના ગેરકાયદે કોલસો ભેળસેળ કરાય છે જ્યારે ઊતરેલો 13 ટન પેટકોક કોલસો મોરબી અને આજુબાજુ વિસ્તારમાં ચાલતી પેપર મિલોને બે નંબરી વેચાણ કરી દેવાય છે.